દેશના જાણીતા વીર સપૂત અને મરાઠા કિંગ છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે શ્રી છત્રપતિ શિવાજી મહારાજ યુવક મંડળ ના ઉપક્રમે આજે ખોખરા વિસ્તારમાં દેશમુખ પોઇન્ટ,સીયોનગર ખાતે ભારે ધામધૂમથી ઉજવવામાં આવી હતી આ પ્રસંગે સમાજના આગેવાનો તેમજ રાજકીય પક્ષા પક્ષી થી દૂર રહીને દરેક પક્ષના આગેવાનો મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રી કમલેશ પટેલ, શિવાનીબેન જનેકર, જીગીશાબેન સોલંકી, પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર જ્યોર્જ ડાયસ, શૈલેષભાઈ સિંદે, નારાયણ ભોયટે,અચિૅત દેશમુખ, ગૌરવ પિવેકર,ઋષભ જાદવ,વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને છત્રપતિ શિવાજી મહારાજ ની પ્રતિમા ને માલ્યા અર્પણ કર્યા બાદ એક બાળ શિવાજી વિયોમ ભાવસારે શિવાજી ની જેમ તલવાર ના કલા કરતબ બતાવીને સૌને દંગ કરી નાખ્યા હતા. જાણે કે યુદ્ધના મેદાનમાં સ્વયં છત્રપતિ શિવાજી તલવાર સાથે યુદ્ધ કરી રહ્યા હોય તેવું દ્રશ્ય જણાતો હતો આ ઉપરાંત બાળ શિવાજીએ શ્લોકના જાપ કરીને પણ સૌને મંત્રમુગ્ધ કરી નાખ્યા હતા
વીર સપૂત અને મરાઠા કિંગ છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ
