[ad_1]
દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામ આવી ગયા છે. અને ભાજપ માટે સત્તા સંભાળવાનો માર્ગ મોકળો થયો છે. ચૂંટણી પરિણામોએ એક્ઝિટ પોલના આંકડા પર મોહર લગાવી છે. આમ આદમી પાર્ટી સરકાર પ્રદુષણની માર, શીશ મહેલમાં ભ્રષ્ટાચાર અને યમુનાની ધારાઓમાં વહી ગઇ છે. દારુ કૌભાંડ, યમુના નદી પ્રદૂષિતનો મુદ્દો આમ આદમી પાર્ટી પર ભારે પડ્યો છે. પરંતુ જીત સુધી પહોંચવાના રસ્તા ભાજપ માટે પણ સરળ ન હતા.
ભાજપમાં જીત માટે ઉત્સાહનો માહોલ
પીએમ મોદી, કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહે અરવિંદ કેજરીવાલ, આતિશી વિરુદ્ધ મજબૂત અભિયાન ચાલાવ્યુ હતુ. ભાજપ શાસિત રાજ્યના સીએમ દિલ્હીમાં પોતાના પક્ષના પ્રચાર-પ્રસાર માટે મેદાને ઉતર્યા હતા. દિલ્હીમાં પોતપોતાના રાજ્યોના લોકોમાં પોતાનો જનાધાર વધારવાનું કામ કર્યું. ભ્રષ્ટાચારના આરોપો, કથિત શીશમહેલમાં કૌભાંડ, AAPના મોટા નેતાઓની ધરપકડ, શેરી-કચરાના મુદ્દા પર AAP સરકાર ઘેરાયેલી હતી, પછી કેજરીવાલની મફત યોજનાઓમાં કાપ મૂકવાની વડા પ્રધાન મોદીની જાહેરાતનો સૌથી મોટો ચમત્કારિક પ્રભાવ પડ્યો. પીએમએ દિલ્હી સરકારની તમામ કલ્યાણકારી યોજનાઓ ચાલુ રાખવાની જાહેરાત કરતા જ રાજધાનીમાં લોકોનો વિશ્વાસ ભાજપમાં જ વધવા લાગ્યો હતો.
AAP ના મૂળ પર ભાજપનો સીધો હુમલો
ચૂંટણી પ્રચાર દરમિયાન, કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને નવી દિલ્હી વિધાનસભા બેઠકના પાર્ટી ઉમેદવાર સંદીપ દીક્ષિત વારંવાર કહેતા જોવા મળ્યા કે જન કલ્યાણના નામે મફત યોજનાઓ સિવાય, દિલ્હીમાં આમ આદમી પાર્ટી સરકારનું કોઈ કામ એવું નથી કે જેની ગણતરી કરી શકાય. તેમનો આરોપ હતો કે શીલા દીક્ષિતના શાસનકાળ દરમિયાન થયેલા વિકાસ કાર્યો પછી મૂળભૂત વિકાસ દેખાતો નથી. ભાજપના નેતાઓએ પણ કોંગ્રેસના આ આરોપોને મોટો મુદ્દો બનાવ્યો. ભાજપને પણ ખબર હતી કે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની તાકાત શું છે. પક્ષનો વાસ્તવિક આધાર અને મૂળ ક્યાં મજબૂત રીતે સ્થાપિત છે? ભાજપે સૌ પ્રથમ AAP ના આ આધારને નષ્ટ કરવાની યોજના બનાવી. ભાજપે AAPના મુખ્ય મતદારોમાં પ્રવેશ કર્યો, સાથે સાથે ઉચ્ચ વર્ગના મુખ્ય મતદારોને પણ જાળવી રાખ્યા.
ભાજપે આમ આદમી પાર્ટીના વચનોથી બે ડગલાં આગળ વધીને પોતાના સંકલ્પ પત્રમાં અનેક જાહેરાતો કરી – જેમાં ગરીબ મહિલાઓને રૂ. 2500 ગર્ભવતી મહિલાઓને રૂ. 2100, 6 પોષણ કીટ, ગરીબ મહિલાઓને રૂ. 500માં સિલિન્ડર, હોળી-દિવાળી પર મફત સિલિન્ડર, વૃદ્ધો માટે રૂ. 10 લાખ સુધીની મફત સારવાર, કેન્દ્ર તરફથી રૂ. 5 લાખ અને રાજ્ય તરફથી રૂ. 5 લાખ સુધીની સારવાર આયુષ્માન કાર્ડ દ્વારા, 60થી 70 વર્ષની વયના વૃદ્ધોને દર મહિને રૂ. 2500 પેન્શન અને 70 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધોને રૂ. 3000 પેન્શન, અટલ કેન્ટીન યોજના હેઠળ ઝૂંપડપટ્ટીમાં રૂ. 5માં ખોરાક વગેરેનો સમાવેશ થાય છે. આ યોજનાઓએ દિલ્હીમાં ક્રાંતિ લાવી દીધી. અને ડબલ એન્જિન સરકાર પર પણ મહોર લાગી ગઇ હતી.
[ad_2]
Source link