Warning: include_once(/home/joyoglobe/saveragujarat.com/wp-includes/header.php): failed to open stream: No such file or directory in /home/joyoglobe/saveragujarat.com/wp-config.php on line 110

Warning: include_once(): Failed opening '/home/joyoglobe/saveragujarat.com/wp-includes/header.php' for inclusion (include_path='.:/opt/alt/php74/usr/share/pear') in /home/joyoglobe/saveragujarat.com/wp-config.php on line 110
Arvalliમાં હિટ એન્ડ રનમાં એક વ્યકિતનું મોત, અન્ય 2 વ્યકિતઓ ઈજાગ્રસ્ત થયા

Arvalliમાં હિટ એન્ડ રનમાં એક વ્યકિતનું મોત, અન્ય 2 વ્યકિતઓ ઈજાગ્રસ્ત થયા

[ad_1]

અરવલ્લીમાં હિટ એન્ડ રનની ઘટના બની છે,જેમાં શામળાજીના ખોડંબા પાસે અકસ્માત કરીને ટ્રક ચાલક ફરાર થઈ ગયો છે.અકસ્માતમાં બે યુવકોને ઈજા પહોંચી છે જેમને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.ટ્રક ચાલક અકસ્માત કરીને ફરાર થયો હતો અને ત્યારબાદ પોલીસે ઘટના સ્થળે પહોંચીને આસપાસના સીસીટીવી કેમેરા તપાસ કર્યા હતા.શામળાજી મંદિરે દર્શને કરવા જતા આ બનાવ બન્યો હતો.

ટ્રક ચાલકે બાઈક ચાલકને ઉડાવ્યો

અરવલ્લીમાં હિટ એન્ડ રનની ઘટના બની છે,જેમાં ફુલ સ્પીડે આવી રહેલા ટ્રકે એક બાઈક ચાલક અને અન્ય બે વ્યકિતઓને અડફેટે લીધા હતા,આ ઘટનામાં એક વ્યકિતનું મોત થયું છે.ત્રણ સવારીમાં બાઈક ચાલક જઈ રહ્યાં હતા અને પાછળથી ટ્રકે આવીને અડફેટે લીધા હતા,ટ્રક એટલી સ્પીડમાં હતો કે રોડ પર જે બેરિકેટ ગોઠવ્યું હતુ તેને પણ ઉડાવી દીધુ હતુ.પોલીસે મૃતદેહનો કબજો મેળવી પીએમ અર્થે મોકલી આપ્યો છે અને અજાણ્યા ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથધરી છે.

રાજકોટના કુવાડવામાં પણ બની હિટ એન્ડ રનની ઘટના

કુવાડવા નજીક રામપર બેટી ગામે અજાણ્યા વાહને ઠોકર મારતા ઘવાયેલા સાઇકલસવાર તરુણને સારવાર માટે સિવિલમાં ખસેડાયા હતો. જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. બનાવને પગલે પોલીસે અકસ્માત બાદ નાસી જનાર વાહનચાલક સામે ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી કરી હતી.રામપર બેટી પાસે બંધ ભરડિયામાં રહેતા અને ચોકીદારી કરતાં રાજુભાઇ મકવાણાનો પુત્ર ઉદય તા.14ના રોજ તેની સાઇકલ લઇને રોડ પર નાસ્તો લેવા જતો હતો ત્યારે બેકાબૂ અજાણ્યા વાહને ઠોકરે લેતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો.

હિટ એન્ડ રન કાયદો શું છે

હિટ એન્ડ રન પર કરવામાં આવેલી આ નવી જોગવાઇ છે. આ અંતર્ગત રોડ પર હિટ એન્ડ રનની ઘટના બને તો વાહન ચાલકને 10 વર્ષની સજા થશે. આ ઉપરાંત તેને દંડ પણ ભરવો પડશે. હવે નવા નિયમ મુજબ જો કોઈ કાર સાથે ટકરાય અને પોલીસ પ્રશાસનને જાણ કર્યા વગર જ ડ્રાઈવર ઘટના સ્થળેથી ફરાર થઈ જાય તો તેને 10 વર્ષ સુધીની સજા થશે અને દંડ પણ ફટકારવામાં આવશે.

 

[ad_2]

Source link

Related Post