Warning: include_once(/home/joyoglobe/saveragujarat.com/wp-includes/header.php): failed to open stream: No such file or directory in /home/joyoglobe/saveragujarat.com/wp-config.php on line 110

Warning: include_once(): Failed opening '/home/joyoglobe/saveragujarat.com/wp-includes/header.php' for inclusion (include_path='.:/opt/alt/php74/usr/share/pear') in /home/joyoglobe/saveragujarat.com/wp-config.php on line 110
Sabarkantha: ભાવપુરથી ગાંભોઈ સાંકળતા માર્ગનું કામ ખોરંભે પડતા પ્રજામાં ભારે રોષ

Sabarkantha: ભાવપુરથી ગાંભોઈ સાંકળતા માર્ગનું કામ ખોરંભે પડતા પ્રજામાં ભારે રોષ

[ad_1]

સાબરકાંઠા જિલ્લાના ગાંભોઈથી હરસોલને સાંકળતા 33 કિલોમીટરના માર્ગને પહોળો કરી ડામરકામ કરવાની કામગીરી રૂ.32 કરોડના ખર્ચે કરવાની હતી. માર્ગના ઇજારેદાર એજન્સીએ નિયત સમયમાં કામ પૂર્ણ ન કરતા પંથકની ગ્રામ્ય પ્રજામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ અંગે પીંપળીયા ગામના અગ્રણી પ્રવિણસિંહ રહેવરના જણાવ્યા મુજબ હિંમતનગર તાલુકાના ગાંભોઇથી હરસોલને જોડતા માર્ગની સાઈડો પહોળી કરી ડામરકામ માટે રૂ. 32 કરોડનું ટેન્ડર મંજૂર થયું હતું. આ કામના જવાબદાર ઇજારદાર એજન્સી દ્વારા વર્ષ 2019માં કામ શરૂ કરાયા બાદ આજદિન સુધી તેના નિયત સમયમાં કામગીરી પૂર્ણ કરી નથી. રણાસણથી ગાંભોઈ જતા માર્ગ પર ભાવપુરથી ગાંભોઈ સુધીનું ચાર કિલોમીટરના માર્ગ પર માત્ર વાઈડિંગ કામ થયેલ છે અને ડામરનું બીજું લેયર લગાવવાનું બાકી છે. જવાબદાર કોન્ટ્રાક્ટરે આ કામ અડધું મૂકી છોડી દીધાનો લોકોમાં ચર્ચાઓ થઈ રહી છે. હાલ આ માર્ગ પર ઠેર ઠેર ગાબડાં પડી ગયા છે ત્યારે જિલ્લાના માર્ગ અને મકાન વિભાગના વહીવટી તંત્ર દ્વારા આ અંગે તપાસ હાથ ધરી સત્વરેઆ અધૂરું કામ પૂર્ણ કરવા તજવીજ હાથ ધરે એવી આ વિસ્તારની ગ્રામ્ય પ્રજામાં ઉગ્ર માંગ ઊભી થઈ છે.

[ad_2]

Source link

Related Post