[ad_1]
મોડાસાના લીંભોઈકંપાથી કેશરપુર તરફ જતા માર્ગ ઉપર બુધવારે મોડી રાત્રે બે બાઈકો સામ-સામે અથડાઈ હતી. આ અકસ્માતમાં બે યુવકોના મોત થયા હતા. તલોદ તાલુકાના કઠવાડા ગામના ત્રણ યુવકો મંગળવારે રાત્રે મોડાસા નવરાત્રિ જોવા આવ્યા હતા અને પરત ઘરે જતા હતા ત્યારે મોડી રાત્રે 3.30 વાગ્યાના અરસામાં અકસ્માત થયો હતો.
અકસ્માતમાં નવરાત્રિ જોઈ પરત ફરી રહેલા ત્રણ યુવકો પૈકી એકનું મોત થયુ હતુ અને બે યુવકોને ઈજાઓ થઈ હતી. જ્યારે સામેના બાઈક ચાલકનું પણ મોત થયુ હતું. અકસ્માત અંગે મોડાસા રૂરલ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
તલોદ તાલુકાના કઠવાડા ગામના ચેતનસિંહ જશવંતસિંહ પરમાર,કિશનસિંહ રાજુસિંહ પરમાર અને કમલેશસિંહ હરીસિંહ પરમાર બાઈક લઈને મંગળવારે રાત્રે મોડાસા નવરાત્રિ જોવા આવ્યા હતા. મોડાસા પોલીસ હેડ ક્વાટર્સ ખાતે નવરાત્રિ જોઈ યુવકો રામપાર્કમાં ગયા હતા અને ત્યાંથી નવરાત્રિ જોયા બાદ મોડી રાત્રે રાત્રે 3.30 વાગ્યાના અરસામાં કઠવાડા પરત જવા નીકળ્યા હતા. યુવકો બાઈક પર લીંભોઈકંપાથી કેશરપુરા તરફ જતા હતા તે સમયે સામેથી આવી રહેલ બાઈક ધડાકાભેર અથડાયુ હતુ. જેના પગલે નવરાત્રિ જોઈ પરત ફરી રહેલા ત્રણેય યુવકો રોડ ઉપર પટકાઈ ગયા હતા અને ગંભીર ઈજાઓ થઈ હતી. જેમાં ત્રણ યુવકો પૈકી ચેતનસિંહ જશવંતસિંહ પરમાર ઉ.વ.22 નું ઘટના સ્થળે જ મોત થયુ હતું. જ્યારે સામેના બાઈક ચાલકનું પણ ગંભીર ઈજાઓ થવાથી બનાવ સ્થળે જ મોત થયું હતુ. આ યુવક પણ હિંમતનગરથી નવરાત્રિ જોઈ પરત ફરી રહ્યો હતો તેવું જાણવા મળ્યુ હતું. અકસ્માતને પગલે આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત યુવકોને સારવાર માટે ખસેડી દેવામાં આવ્યા હતા. બનાવ અંગે મોડાસા રૂરલ પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
[ad_2]
Source link