Warning: include_once(/home/joyoglobe/saveragujarat.com/wp-includes/header.php): failed to open stream: No such file or directory in /home/joyoglobe/saveragujarat.com/wp-config.php on line 110

Warning: include_once(): Failed opening '/home/joyoglobe/saveragujarat.com/wp-includes/header.php' for inclusion (include_path='.:/opt/alt/php74/usr/share/pear') in /home/joyoglobe/saveragujarat.com/wp-config.php on line 110
Arvalliમાં પોલીસ અને આરટીઓ બની મુકપ્રેક્ષક, ખાનગી વાહનોમાં જોવા મળી જોખમી સવારી

Arvalliમાં પોલીસ અને આરટીઓ બની મુકપ્રેક્ષક, ખાનગી વાહનોમાં જોવા મળી જોખમી સવારી

[ad_1]

અરવલ્લી જિલ્લામા અકસ્માતોની સંખ્યા વારંવાર બને છે તેમ છત્તા આરટીઓ અને પોલીસ તંત્ર નફ્ફટાઈની હદ વટાઈ ચૂકયું હોય એવું લાગી રહ્યું છે,લોકો જોખમી સવારી કરવા મજબૂર બન્યા છે તેમ છત્તા ખાનગી વાહનચાલકો સામે પોલીસ અને આરટીઓ તંત્ર કોઈ કામગીરી ના કરતું હોય અને ખાનગી વાહનચાલકો બિંદાસ રીતે લોકોને જોખમી રીતે બેસાડીને સવારી કરાવતા હોય છે.

અકસ્માતોની ઘટનાઓમાં વધારો છતાં તંત્ર નફ્ફટ

અરવલ્લીમાં જોખમી સવારીના દ્રશ્યો સામે આવ્યા છે,માલપુર-મોડાસા હાઇવે પર મોતની સવારી હોય તેવું લાગી રહ્યું છે,ખાનગી વાહનચાલકો વાહનમાં ક્ષમતા કરતા વધુ મુસાફરો બેસાડી રૂપિયા વસૂલતા હોય છે,ત્યારે આરટીઓ અને પોલીસના નિયમો નેવે મૂકીને વાહન ચાલકો તંત્રના આશીર્વાદથી બિંદાસ રીતે વાહન હંકારતા હોય છે,સ્થાનિકોનો આક્ષેપ છે કે પોલીસ અને આરટીઓ વિભાગ જાણે છે તેમ છત્તા કામગીરી કરતું નથી,વધુ પૈસા કમાવવાની લાચે નિયમો નેવે મુકતા વાહનચાલકો.

ઘેટા બકરાંની જેમ લોકોને વાહનમાં ભર્યા

જે રીતે ફોટો અને વીડિયો છે તેમાં દેખી શકાય છે કે લોકો ઘેટા-બકરાની જેમ ભરેલા છે અને આને લઈ ટ્રાફિક પોલીસની કામગીરી પર સવાલો ઉભા થયા છે,એક જીપમાં 35 કરતા વધુ મુસાફરો બેઠેલા છે,વાહનની ઉપર લાગેલું કેરીયર પકડીને લોકો મુસાફરી કરી રહ્યાં છે,ત્યારે કોઈનો હાથ કેરિયરમાંથી છૂટશે અને નીચે પડશે તો કોણ જવાબદાર રહેશે તે પણ એક સવાલ છે,ત્યારે આરટીઓ અને પોલીસ તંત્ર આવા વાહનચાલકો સામે કામગીરી કરો નહીતર કોઈનો જીવ ચોક્કસ જશે.

જોખમી સવારીને લઈ અકસ્માતો થાય છે

સાબરકાંઠા,દાહોદ,ગોધરા,અરવલ્લી જિલ્લામાં આવી જોખમી સવારી સૌથી વધુ થતી હોય છે,આવા એક નહી પણ અનેક કિસ્સાઓ છે કે જેમાં ટર્ન લેતી વખતે વાહન સ્લીપ થઈ જાય છે અને લોકો ઈજાગ્રસ્ત અને મોતને ભેટતા હોય છે.આરટીઓ અને પોલીસ કેમ આવા વાહનચાલકો સામે કાર્યવાહી નથી કરતી એજ ખબર નથી પડતી.જોખમી સવારી ગુજરાતમાં તો નહી જ ચલાવી લેવાય અને તંત્રએ આ બાબતે કાર્યવાહી તો કરવી જ પડશે નહીંતર લોકોના જીવ જોખમમાં મૂકાય છે તે પણ નક્કી જ છે.

આદિવાસી વિસ્તારમાં બને છે આવી ઘટનાઓ

સાબરકાંઠા જિલ્લો વિકસીત જિલ્લો છે પરંતુ આંતરિયાળ વિસ્તારોમાં સમય પ્રમાણે સરકારી એસટી બસ પહોંચતી ના હોવાથી ગ્રામજનો ખાનગી વાહનોનો સહારો લઈને મુસાફરી કરી રહ્યાં છે,જીપની ઉપર અને કારની સાઈડમાં મુસાફરો ઉભા રહ્યાં છે અને જોખમી રીતે સવારી કરી રહ્યાં છે,ત્યારે કોઈ મોટી દુર્ઘટના બનશે અને કોઈનો જીવ જશે તો કોણ જવાબદાર રહેશે ? જરા શરમ કરો ડ્રાઈવરો,આવી રીતે કેમ સાહસ કરો છો અને બધાને બેસાડો છો.

[ad_2]

Source link

Related Post