આજ રોજ સત્યાગ્રહ છાવણી ગાંધીનગર ખાતે યોજેલ સ્વાભિમાન ધરણા જે બિન રાજકિય આયોજન ઓજસ – ઓબીસી જન અધિકાર સમિતિ દ્વારા યોજવામા આવેલ. જેમા ઓબીસી સમાજના તમામ સમાજિક અને ધાર્મિક આગેવાનો હાજર રહ્યા હતા જેમાં મુખ્યત્વે આંદોલનનો પાયો નાખનાર શ્રી અમિતભાઈ ચાવડા,ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલ, પૂર્વ પ્રમુખશ્રી જગદીશભાઈ ઠાકોર, શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, સેવાદળના ચેરમેન શ્રી લાલજીભાઈ દેસાઈ, સાથે ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યશ્રીઓ,પૂર્વ ધારાસભ્યશ્રીએ,તમામ નેતાગણ અને હજારો લોકો સમગ્ર ગુજરાતમાંથી હાજર રહ્યા હતા.
આજના સ્વાભિમાન ધરણામા શ્રી અમિતભાઈ ચાવડા એ જણાવ્યું હતું કે ગુજરાત માં 82% વસ્તી ધરાવતા OBC, ST, SC, Minority સમાજ ને પોતાના હક અધિકાર માટે ધરણા કરવા પડે એજ બતાવે છે કે ડબલ એન્જીન સરકારમાં ખુબ જ અન્યાય થઈ રહ્યો છે.
અમે સરકારમાં બેઠેલા ઓ.બી.સી સમાજના નેતાઓને પણ આ ધરણામાં અવવાનુ આમંત્રણ આપેલુ પણ કોઈજ આવ્યા નહિ. સમાજ ની અવગણના કરી ને તેઓ તેમના પક્ષ ના આદેશ મુજબ હાજર રહયા નહિ. અમે સરકારના નેતાઓ અને મંત્રીઓ ને કેહવા માંગીએ છીએ કે જે સમાજે તમને આ સ્થાન પર બેસાડ્યા છે, જે સમાજના લિધે તમે ચૂંટાયા છો એ સમાજને જ્યારે તમારી જરુરિયાત હોઈ ત્યારે તમારે પણ સમાજ માટેની લડાઈમા મંચ પર આવવુ જોઈએ.
ડબલ એન્જીનની સરકાર માં ગુજરાતના ઓ.બી.સી સમાજના ગરીબોને ડબલ અન્યાય થઈ રહ્યો છે. એક તો રાજકિય રીતે અનામત નાબુદ કરીને આ સમાજને ખતમ કરવાનુ કામ થઈ રહ્યુ છે અને બીજી બાજુ તેના માટે પુરતુ બજેટ નહી ફાળવીને સમાજને ડબલ અન્યાય કરવામાં આવે છે.
સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં અનામત નાબુદ કરીને આ અન્યાયી સરકાર એક સંદેશો આપવા માંગતી હતી. રાજકિય રીતે અનામત ખતમ કરીને અને પરીક્ષણ કરીને સરકાર જોવા માગતી હતી કે આવનારા દિવસોમાં આ અનામત શિક્ષણ અને નોકરીઓ માંથી ખતમ કરે તો પ્રતિક્રિયા કેવી આવે છે પણ આ બિનરાજકિય ઓબીસી સમિતિ ને અભિનંદન કે આપણા સૌની પહેલથી આ લડાઈ શરુ થઈને સરકારે જસ્ટીસ ઝવેરીની આગેવાની માં એક સમર્પિત આયોગ બનાવવુ પડ્યુ, જ્યા ઓબીસી સમાજે પોતાની તમામ માંગણીઓ રજુ કરી.
આવા સમયમાં જયારે ૭૧૨૦ ગ્રામ પંચાયતો, ૭૫ નગરપાલિકા, ૨ જિલ્લા પંચાયત, ૨૦ તાલુકા પંચાયતની ચૂંટણી થઈ શકી નથી અને ત્યાં વહીવટદારોનુ શાસન ચાલે છે ત્યારે સૌના વતી અમે આ ચાર માંગો સરકાર સમક્ષ મુકવા માંગીએ છીએ.
૧. જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવે.
૨. સરકાર ઝવેરી આયોગનો રીપોર્ટ પ્રસિદ્ધ કરે અને તમામ સ્થાનીક સ્વરાજ્યની સંસ્થાઓ માં ઓબીસી સમાજને ૨૭% અનામત આપવામાં આવે.
૩. રાજ્ય સરકારના બજેટમાં ઓબીસી સમાજ માટે ૨૭% રકમની અલગથી ફાળવણી કરવામાં આવે અને એસ.ટી. એસ.સી. સબપ્લાનની જેમ ઓબીસી સબપ્લાન કમિટીઓ દરેક સ્તરે બનાવવા માં આવે.
૪. સહકારી સંસ્થાઓમાં એસ.ટી, એસ.સી., ઓબીસી, લઘુમતી સમાજ માટે અનામત લાગુ કરવામાં આવે.
સામાજિક ન્યાય અધિકારિતા અંતર્ગર્ત સરકારે બનવેલા 9 નિગમો માથી 8 નિગમો મા SC ST લઘુમતી સમાજ ના ઉત્કર્ષ માટે પ્રતિવર્ષ 166 કરોડ ફાળવણી કરવામાં આવે છે જ્યારે 18% વસ્તિ જે બિનઅનામત વર્ગ માટે બનેલ નિગમ મા 500 કરોડ ફાળવણી કરવામાં આવે છે. આ હળહળતો ભેદભાવ અને અન્યાય છે. જેમ બિન અનામત ના આંદોલન સમયે સૌ સમાજ ભેગા થઈ ને લડત લડ્યા હતા એ જ રીતે આજે ગરીબોની લડાઇ માટે સૌ સમાજ ને અપિલ છે કે આવો સૌ ભેગા થઈ ને આ લડત લડીએ.
આવનારા સમય માં શિક્ષણ ,નોકરીઓ,અનામત, બજેટની ફાળવણી અને રાજકિય અનામત ના સંદર્ભે એસ.સી,એસટી, ઓ.બી.સી અને લઘુમતી સમાજ પોતાના હક અધિકાર અને સરકારની ભેદભાવ ભરી નીતિ સામે મહાપંચાયત બોલાવશે તેમ અમિતભાઈ ચાવડા એ જણાવ્યું હતું.