Warning: include_once(/home/joyoglobe/saveragujarat.com/wp-includes/header.php): failed to open stream: No such file or directory in /home/joyoglobe/saveragujarat.com/wp-config.php on line 110

Warning: include_once(): Failed opening '/home/joyoglobe/saveragujarat.com/wp-includes/header.php' for inclusion (include_path='.:/opt/alt/php74/usr/share/pear') in /home/joyoglobe/saveragujarat.com/wp-config.php on line 110
બનાસકાંઠા વન વિભાગમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા કર્મચારીઓનું આરોગ્ય મંત્રીના હસ્તે કરાયું સન્માન

બનાસકાંઠા વન વિભાગમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા કર્મચારીઓનું આરોગ્ય મંત્રીના હસ્તે કરાયું સન્માન

 

બનાસકાંઠા, દેશભરમાં ૭૬માં પ્રજાસત્તાક દિવસની ધામધૂમથી ઉજવણી કરાઇ હતી. બનાસકાંઠા જિલ્લામાં રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલના વરદ હસ્તે અંબાજી સ્થિત જી.એમ.ડી.સી ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિવસની શાનદાર ઉજવણી કરાઈ હતી.

જિલ્લા કક્ષાના આ કાર્યક્રમમાં મંત્રી ઋષિકેશભાઇ પટેલના વરદ હસ્તે વિવિધ ક્ષેત્રમાં વિશિષ્ટ સિદ્ધિઓ મેળવનાર નાગરિકો અને કર્મચારીઓને પ્રશસ્તિ પત્ર એનાયત કરીને તેમની કામગીરીને બિરદાવાઈ હતી. જેમાં બનાસકાંઠા જિલ્લા વન વિભાગના કર્મચારીઓને વન સંવર્ધન અને વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે વિશિષ્ટ ઉમદા કામગીરીને ધ્યાને લઇ સન્માનપત્ર અને ટ્રોફી એનાયત કરાઇ હતી.

વન સંવર્ધન અને વન્યજીવ સંરક્ષણ હેઠળ વનપાલ વનવિરસિંહ ચૌહાણ, વનરક્ષક કે.પી.ચાવડા, ડી.એમ. ગેલોત, એચ.આઇ.રાજપૂતને મંત્રીશ્રીના હસ્તે સન્માન પત્ર અને ટ્રોફી એનાયત કરાયા હતા જ્યારે વનરક્ષક કે.કે.માળીને વન સંવર્ધન અને નર્સરી ઉછેર માટે રાજ્યના મુખ્ય વન સંરક્ષક, ગાંધીનગર દ્વારા ટ્રોફી અને સન્માનપત્ર એનાયત કરાયા હતા.

Related Post