સવેરા ગુજરાત, અમદાવાદ તા. ૦૩
શ્રમ અને રોજગાર મંત્રાલય ભારત સરકાર તેમજ અમદાવાદના ઉપક્રમે રાષ્ટ્રીય શ્રમિક અને વિકાસ બોર્ડ તેમજ માતૃ ચરણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અમદાવાદના ગોતા ચાંદલોડિયા વિસ્તાર સિલ્વર ક્રોસ રોડ ચાર રસ્તા કડિયાનાકા પાસે શ્રમિકોની ચોપાલ કાર્યક્રમ ઉજવાયો જેમાં અસંગઠિત ક્ષેત્ર મજૂરીકામ કરતા કામદારોને ભારત સરકાર અને ગુજરાત સરકારની વિવિધ યોજનાઓની જાણકારી અને માહિતી આપવા માટે છૂટક મજૂરીકામ કરતા શ્રમિકોને પોતાની અને તેમના પરિવારની કાળથી રાખવાના હેતુસર સરકારની વિવિધ યોજનાઓ અટલ પેન્શન યોજના પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના ઈ શ્રમિક કાર્ડ નાની બચત યોજના કુટુંબ કલ્યાણ અને આરોગ્ય જેવી તમામ યોજનાઓની જાણકારી તેમજ માહિતી આપવા માટેનો કાર્યક્રમમા અધ્યક્ષ મોહનજી જીહ સાથે ધીરેશ પાઠક તેમજ ચરણ ચેરીટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ કૈલાશબેન મનુસિહ અને એડવોકેટ એકતાબેન ઠાકોર અને શ્રમિકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત હતા.