Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

ભૂમંડળ સ્થિત તીર્થોત્તમધામ મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, શ્રી સ્વામિનારાયણ મંદિરમાં શરદપૂર્ણિમાનો ઉત્સવ પરમ ઉલ્લાસભેર ઊજવાયો.

સવેરા ગુજરાતઅમદાવાદ10

ભૂમંડળ સ્થિત તીર્થોત્તમધામ મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર હરિભક્તો, ભાવિકો અને આસ્તિકો માટે આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે.

આસો સુદ પૂનમને શરદપૂર્ણિમા કે શરદપૂનમ ઉપરાંત રાસ પૂર્ણિમા કે રસ પૂર્ણિમા પણ કહી શકાય! પૂર્ણીમાની રાત્રી તો વરસમાં બાર – ૧૨ આવે છે પરંતુ શારદીય પૂર્ણિમા સૌંદર્ય અને આકર્ષણની દ્રષ્ટિએ…શ્રેષ્ઠ પૂર્ણિમા ગણી શકાય. શરદ પૂર્ણિમા મનમોહક, લાવણ્યમયી, ચિત્તાકર્ષક અને ઉન્માદી પૂર્ણિમા હોવા ઉપરાંત પૂર્ણ શૈત્ય અને શાંતિ વરસાવતી આહ્લાદક પૂર્ણિમા હોવાને લીધે ભગવાને પણ રાસલીલા માટે શરદ પૂર્ણિમાનું ચયન કર્યું હશે!!! રાત્રીના અંધકારને શીતલ ધવલ ચાંદની નીતરતા ઠંડા પ્રલશમાં તરબોળ કરનારી આ પૂર્ણિમા ભગવાનની પણ પ્રિય પૂર્ણિમા છે.

આભમાં ચંદ્ર સોળે કળાએ ખીલીને ચાંદનીને સમગ્ર આકાશ ફલક પર ફેલાવી પૂર્ણતા અને શીતળતાનું મિલન પ્રયોગ છે તો રસરાજ રાસવિહારી શ્રી હરિ સંતો-ભક્તો સહ રહસ્ય, એમાંય અને હેત- અદ્વેતનો અદ્ભુત રસ રચે છે. દરેક ભક્તને મુક્ત બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે અને દરેક ભક્ત ભગવાનને પૂર્ણ રીતે સ્વતંત્ર રીતે પામી શકે તે હેતુથી એક એક સંત-ભક્ત અને એક એક ભગવાન જેટલા સંતો શ્રી હરિ આવો ‘एकोहं बहुस्यां प्रजायेय…’ નો રાસ રચાય છે. વ્યક્તિમાં જયારે અનહદ આનંદ અનહદ ઊભરાય છે.

સ્વામિનારાયણ સંપ્રદાયમાં શ્રી સ્વામિનારાયણ ભગવાને ૨૦૦ વર્ષ પહેલાં અનેક સ્થળોએ શરદપૂર્ણિમાના ઉત્સવ પ્રસંગે રાસલીલા કરી હતી. પંચાળામાં શ્રી સ્વામિનારાયણ ભગવાને એક એક સંતની સાથે એક એક અલગ રૂપ ધારણ કરીને રસ લીલા કરેલી છે તેની સ્મૃતિ તાજી કરવા સ્વામિનારાયણ સંપ્રદાયમાં ત્યારથી જ શરદપૂર્ણિમાનો ઉત્સવ દરેક મંદિરોમાં ઉજવાય છે. શ્રીજી સ્વયંમૂર્તિ જીવનપ્રાણ અબજીબાપાશ્રીએ કચ્છમાં, કલાવારિધિ સ્વામીબાપા તથા શ્રી સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાર આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના દિવ્ય પાવન સાન્નિધ્યમાંના શરદપૂર્ણિમા ઉજવાઈ હતી. તદ્વત શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ્રવર્તમાન આચાર્યશ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં દેશવિદેશમાં અનેક સ્થળોએ શરદપૂર્ણિમા પરમોલ્લાસભેર દર વર્ષે ઊજવાય છે.

આ વર્ષે ભૂમંડળ સ્થિત તીર્થોત્તમધામ મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર, ઉલ્લાસભેર શરદપૂર્ણિમા ઊજવવામાં આવી હતી. દેશવિદેશના અનેક ભક્તો હાજર રહ્યા હતા. અંતમાં સહુકોઈ દૂધપૌઆનો પ્રસાદ આરોગી યથાસ્થાને પ્રયાણ કર્યું હતું

Related posts

શેરબજાર:સેન્સેકસમાં 600 પોઈન્ટનો ઉછાળો

saveragujarat

બાગેશ્વરધામ બાબાના દરબારમાં અરજી લગાવવા ગયેલી મહિલાનું મોત

saveragujarat

TDP પ્રમુખ ચંદ્રબાબુ નાયડુના રોડ શોમાં નાસભાગ થતા ૭નાં મોત

saveragujarat

Leave a Comment