Savera Gujarat
તાજા સમાચારભારતમનોરંજન

ઈદ પર આ બે દિગ્ગજ કલાકારો ની ફિલ્મ ટકરાશે આમને-સામને, જાણો કોણ મારશે બાજી ?

બોલીવુડ ફિલ્મજગતમા સિલ્વર સ્ક્રીન પર સુપરસ્ટાર્સની ટક્કર થવી એ કંઈ નવી વાત નથી. દર્શકો ઘણીવાર બે સુપર સ્ટાર્સની ફિલ્મને બોક્સ ઓફિસ પર ટક્કર આપતા જોયા છે. ત્યારે હાલ આવનાર સમયમા ફરી એકવાર ચાહકોને બે સુપરસ્ટારની ફિલ્મ સામસામે ટકરાતી જોવા મળશે. સુપરસ્ટાર સલમાન ખાન અને એક્શન હીરો ટાઇગર શ્રોફની ફિલ્મ આવનાર સમયમા એકબીજાની આમને-સામને આવવવાની છે. તો ચાલો આ અંગે વધુ માહિતી મેળવીએ.

ઈદ 2022 માં બોલીવુડ ફિલ્મજગતના સુપરસ્ટાર ગણાતા સલમાન ખાનની ફિલ્મ ‘ટાઇગર-3’ અને ટાઇગર શ્રોફ અને નવાઝુદીન સીદીકી અભિનીત ફિલ્મ ‘હિરોપંતી-2’ આમને-સામને ટકરાવા જઈ રહી છે. હવે જોવાનું એ રહ્યું કે, આવનાર સમયમા ઈદ પર કઈ ફિલ્મ ધૂમ મચાવે છે? બંને જ ફિલ્મના ફર્સ્ટ લૂક ખુબ જ રોમાંચક દેખાઈ રહ્યા છે પરંતુ, કઈ ફિલ્મ દર્શકોનું દિલ જીતી શકશે? તે તો આવનાર સમય જ જણાવી શકશે.

ટાઇગર શ્રોફે ખૂબ જ ટૂંકા ગાળામાં સારી એવી લોકપ્રિયતા મેળવી લીધી છે. ફિલ્મોમાં તેની ઇમેજ એક્શન હીરો તરીકે પ્રખ્યાત બની ચુકી છે. ટાઇગર શ્રોફે આ ફિલ્મના પહેલા ભાગથી જ પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી અને હવે તે હીરોપંતી-2 ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકીની સાથે જોવા મળશે.

કોવિડ સંક્રમણને કારણે સિનેમા હોલ લાંબા સમયથી બંધ હોવાનું જાણવા મળે છે. હવે જોવાનું એ રહ્યું કે, આ બંને જબરદસ્ત ફિલ્મોની ટક્કરમાં બોક્સ ઓફિસ પર કઈ ફિલ્મ બાઝી મારશે? સલમાન ખાન હાલ છેલ્લા ઘણા લાંબા સમયથી ચાહકોને ભરપૂર મનોરંજન પૂરું પાડી રહ્યા છે તેમની ફેન ફોલોઇંગ હાલ કરોડોમાં ગણાય રહી છે ત્યારે બીજી તરફ એક્શન કિંગ ટાઇગર શ્રોફ પણ કઈ કમ નથી ત્યારે હવે આવનાર સમયમાં કોણ કોના પર ભારે પડશે? તે જોવાનું રહ્યુ.

આ બંને ફિલ્મો વચ્ચેની ટક્કર અંગે ટાઇગર શ્રોફના પિતા જેકી શ્રોફે કહ્યું હતું કે, હું બંને ફિલ્મોના નિર્માતાઓના નિર્ણયનો સન્માન કરું છું અને હું ઇચ્છું છું કે બંને ફિલ્મો સફળ થાય. બંને જ મારા બાળકો છે. નવાઝુદ્દીન સિદ્દીકીએ આ ફિલ્મી ટક્કર વિશે ચર્ચા કરતા જણાવ્યું હતું કે,આ બંને ફિલ્મો સફળ થવી જોઈએ. અમારી ફિલ્મની સાથે સલમાન ‘સલમાન ખાન’ ભાઈની ફિલ્મ પણ સફળ થાય તેવી આશા રાખું છું.

Related posts

ગુજરાતમાં તેમના શું કાર્યક્રમો છે તે અંગે મને કોઈ માહિતી નથી : નીતિન પટેલ

saveragujarat

ગુજરાત સરકારના બે મંત્રીઓના ખાતા છીનવાતાં કોંગ્રેસ દ્વારા સરકાર સામે ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યાં

saveragujarat

હવે ઈલેક્ટ્રિક વાહનો તરફ વળી રહ્યા છે ગુજરાતીઓ

saveragujarat

Leave a Comment