સવેરા ગુજરાત, અમદાવાદ ,તા.26
અમદાવાદ, : અમદાવાદના ન્યૂ રાણીપમાં 30 કિલો ઘીથી રામની 3 ફૂટની રમણીય મૂર્તિ બનાવવામાં આવી છે.
અમદાવાદના ન્યૂ રાણીપના શ્યામ સૃષ્ટિ એપાર્ટમેન્ટમાં પર્વ ચેરિટેબલ ટ્રસ્ટે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે 30 કિલો ઘીમાંથી 3 ફૂટની ભગવાન રામની મૂર્તિ બનાવી છે.
આ સોસાયટીના પાર્થ ભાઈ રાવલના જણાવ્યા મુજબ ભગવાન રામની પ્રતિમાની સોમવારે સવારે 10 વાગ્યે સોસાયટીમાં સ્થાપના કરવામાં આવી. ઓઢવનાં હંસાબહેન રાજપૂતે ચાર દિવસની મહેનત બાદ ભગવાન રામની ધીની પ્રતિમા તૈયાર કરી છે.
આશરે 30 હજારના ખર્ચે પ્રતિમા તૈયાર કરવામાં આવી છે. મૂર્તિનું નવજન 40 કિલોથી વધુ છે. બે મહિના આ પ્રતિમાનું ઘી અથોધ્યાના રામ મંદિર મોકલવામાં આવશે જો નહીં શક્ય બને તો તેને રામજી મંદિર ખાતે અર્પણ કરાશે. આમ રામભક્તો દ્વારા પોતાના દ્વારા કાંઈક અલગ કરી બતાવવાની ભાવના સાથે શ્રી રામના ઉત્સવને ઉજાવ્યો હતો.