સવેરા ગુજરાત,સુરત,તા.૧૦
ગત જુલાઈ ૨૦૨૨ના રોજ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના હસ્તે સૌપ્રથમ વખત ગુજરાતમાં ઈ એફઆઈઆરનો કોન્સેપ્ટ લોન્ચ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ અગાઉ એક પણ રાજ્યમાં આ પ્રકારનો કોન્સેપ્ટ જાેવાયો નથી. ગુજરાતમાં સૌપ્રથમ વખત આ પ્રકારનો નવો પ્રયોગ કરવામાં આવ્યો છે. ખાસ કરીને વાહન ચોરી – મોબાઈલ ચોરી મામલે ઈ એફઆઇઆર ગણતરીની મિનિટોમાં દાખલ થઈ જાય અને લોકોને ત્વરિત રીતે ન્યાય મળે તે આ ઈ એફ આઈ આરનો હેતુ છે.ઇ-એફઆઇઆરને લઈને સમગ્ર રાજ્યમાં અંદાજે ૨૦,૦૦૦ જેટલા પોલીસ કર્મચારીઓને કામે લગાડાયા છે. એટલું જ નહીં એક વિશેષ સોફ્ટવેર બનાવ્યું છે જે આ મુદ્દે કામ કરશે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા છ મહિનામાં અંદાજે ૧૭૬૩ જેટલી – એફઆઈઆર સમગ્ર ગુજરાતમાં નોંધાઇ છે. જાેકે આ તમામમાં સુરત શહેરે મેદાન માર્યું છે. સૌથી વધુ ગુનાખોરી ધરાવતું – સૌથી વધુ ઇ એફઆઇઆર નોંધાઈ હોય તેવું શહેર સુરત બન્યું છે.ઉલ્લેખનીય છે કે, ત્યારબાદ અનુક્રમે અમદાવાદ, રાજકોટ, મહેસાણા, વડોદરા ,ખેડા અને આણંદ જિલ્લાનો સમાવેશ થાય છે. સ્વાભાવિક રીતે જ પાંચ મેટ્રોપોલિટન સિટીમાં વધુ વસ્તીને લઇને ગુનાખોરીનું પ્રમાણ કદાચ વધારે હોય તે સમજી શકાય -પરંતુ, આશ્ચર્યજનક રીતે મહેસાણા પણ ગુનાખોરીમાં પ્રથમ હરોળમાં આવ્યું છે. સૌથી વધુ ગુનાઓ વાહન ચોરી મામલે નોંધાયા છે. એટલે કે સૌથી વધુ ઈ એફઆઇઆર વાહન ચોરી મામલે નોંધાઇ છે. જેમાં અગાઉ કહ્યું તેમ સુરત, અમદાવાદ, રાજકોટ, મહેસાણા, વડોદરા અને ખેડામાં રાજ્યની સૌથી વધુ ઇ એફઆઇઆર નોંધાઇ છે.ગુજરાતીએ સમગ્ર રાજ્યના લો એન્ડ ઓર્ડર વિભાગના વડા નરસિમ્હા કોમર સાથે એક્સક્લૂઝિવ વાત કરી તો તેઓએ આ રેન્કને સમર્થન આપ્યું હતું. એટલું જ નહીં તેઓએ નિખાલસપણે એ પણ કબૂલાત કરી હતી કે, કેટલાક પોલીસ કર્મચારીઓ જાણી જાેઈને સમય મર્યાદામાં નિવેદન નહીં લઈને ઇ – એફઆઇઆર કેન્સલ થઈ જાય તેવા પ્રયત્નો કરતા જાેવાયા છે.
ઇ એફઆઇઆરના નિયમ અનુસાર જાે સમય મર્યાદાની અંદર નિવેદન ન નોંધાય તો તે ઈ એફ આઈ આર આપો આપ કેન્સલ થઈ જાય છે.કેટલાક પોલીસ કર્મચારીઓ સમયસર નિવેદન નહીં ને ઈ એફવાયઆર આપોઆપ કેન્સલ થઈ જાય તેવા પણ પ્રયત્નો કરતા જાેવાયા છે. જેને લઈને રાજ્યભરમાં તમામ તમામ જિલ્લાઓમાં આ મુદ્દે આવા કર્મચારીઓ સામે કડક વલણ અપનાવવાની સૂચના આપવામાં આવી છે. પ્રાથમિક તબક્કે જે કર્મચારી આ પ્રકારની ભૂલ કરતા અથવા તો અવિવેક કરતા નજરે પડશે તેઓને ટ્રેનિંગ અપાશે. પરંતુ આ ટ્રેનિંગ બાદ પણ જુઓ તેઓ આ જ ભૂલનું પુનરાવર્તન કરતા રહ્યા તો તેમની સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે આ શિક્ષાત્મક પગલાંમાં નોકરીમાંથી બરતરફ કરવા સુધીની શિક્ષાનો પણ સમાવેશ થાય છે.