Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

રશિયા પાસેથી ઓઈલ ખરીદવા છતાં ભારત પર યુએસ પ્રતિબંધ નહીં લાદે

નવી દિલ્હી, તા.૯
રશિયા-યુક્રેન યુદ્ધની વચ્ચે ભારતે સતત રશિયન ઓઈલની આયાત કરી છે. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને પણ ભારતની આ વિદેશ નીતિની પ્રશંસા કરી છે. પરંતુ કેટલાક દેશો એવા પણ હતા જેઓ ભારત પર પ્રતિબંધ લાદવાની વાત કરી રહ્યા હતા. હવે અમેરિકાએ તે તમામ માંગણીઓને સદંતર ફગાવી દીધી છે અને એ વાત પર ભાર મૂકીને કહ્યું છે કે, ભારત પર કોઈપણ પ્રકારનો પ્રતિબંધ લાદવામાં આવશે નહીં.યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટમાં આસિસ્ટન્ટ સેક્રેટરી કેરેન ડોનફ્રાઈડે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, અમે ભારત પર કોઈ પ્રતિબંધ લાદવાના નથી. ભારત સાથેના અમારા સંબંધો ખૂબ જ મહત્વપૂર્ણ છે. અમે ભારતના એ પગલાને પણ આવકારીએ છીએ જેમાં યુક્રેનને તેના તરફથી માનવતાવાદી સહાય આપવામાં આવી હતી. ભારતે જે રીતે રશિયા-યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવાની અપીલ કરી હતી તે નિવેદનને પણ આવકારવું જાેઈએ. હવે આ નિવેદન એટલા માટે મહત્વનું છે કારણ કે યુદ્ધના મધ્યમાં રશિયન ઓઈલની આયાત એક મોટો મુદ્દો બની ગયો હતો. કારણ કે અમેરિકા રશિયાને આર્થિક રીતે સંપૂર્ણપણે નબળું પાડવા માગતું હતું. આવી સ્થિતિમાં તેનો મુખ્ય ઉદ્દેશ્ય તેના ઓઈલ સપ્લાઈને નુકસાન પહોંચાડવાનો હતો.પરંતુ વાત જ્યારે ભારતની આવી ત્યારે નિયંત્રણો લાદવા કરતાં છેલ્લા કેટલાક વર્ષોમાં ખૂબ જ મજબૂત બનેલા સંબંધો પર વધારે ધ્યાન આપવામાં આવ્યુ છે. અમેરિકાએ આ એક નિવેદનથી સ્પષ્ટ કરી દીધું છે કે, તે ભારતનો પક્ષ છોડી શકે નહીં. તે તેના કેટલાક નિયમોમાં ફેરફાર કરી શકે છે પરંતુ ભારતને પોતાનાથી અલગ થવા દેતો નથી. જાે કે, અમેરિકાએ ભારતને લઈને નરમાઈ બતાવી છે પરંતુ રશિયા પર તેનું કડક વલણ યથાવત છે. રશિયાના ઈરાદા પર સવાલ ઉઠાવતા યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી રિસોર્સિસના આસિસ્ટન્ટ સેક્રેટરી જ્યોફ્રી પ્યાટે કહ્યું કે, જે રીતે રશિયન રાષ્ટ્રપતિએ ઓઈલ અને ગેસના સંસાધનોનો હથિયાર તરીકે ઉપયોગ કર્યો છે ત્યારબાદ તે વિશ્વસનીય તેલ સપ્લાયર તો ન જ બની શકે.જાે કે, વાતચીત દરમિયાન આ પ્રશ્ન ચોક્કસપણે ઉભો થયો હતો કે, હજુ પણ ભારત માટે રશિયા જ ઓઈલનો સૌથી મોટો સપ્લાયર છે. તેના પર જ્યોફ્રી પાયતે સ્પષ્ટ કહ્યું કે, અમેરિકાનું ક્રૂડ ઉત્પાદન સતત વધી રહ્યું છે અને ૨૦૨૪ સુધીમાં ઘણા રેકોર્ડ બની જશે. યુએસ એનએલજીના સૌથી મોટા બજારોમાં ભારતનું નામ પણ આવે છે.

Related posts

રાજ્યભરમાં આજથી મતદાર યાદી સુધારણા કાર્યક્રમની શરૂઆત, જાણો વિગત

saveragujarat

રાજસ્થાનમાં ગેરકાયદે ખનનના વિરોધમાં અગ્નિસ્નાન કરનાર સંત વિજયદાસજીનું નિધન

saveragujarat

સર્જિકલ સ્ટ્રાઈકથી આતંકવાદ પર કઠોર હુમલા સુધી, મારી સરકારની ઓળખ નિર્ણાયક સરકારની રહીઃ મુર્મુ

saveragujarat

Leave a Comment