Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

ખુલ્લા કૂવામાં સિંહ-સિંહણ પડતાં બંનેના મોત નિપજ્યા

સવેરા ગુજરાત,રાજકોટ, તા.૮
સિંહોની સુરક્ષા માટે કૂવાની આસપાસ પાળી કે બેરિકેડ બનાવવા માટે વન વિભાગ ખેડૂતોને પ્રોત્સાહિત કરી રહ્યો છે તેમ છતાં દુર્ઘટના ઘટી છે. ગુરુવારે રાત્રે એક સિંહ અને સિંહણ ખુલ્લા કૂવામાં પડી ગયા હતા અને ડૂબી જવાના લીધે મોત થયા હતા. અમરેલી જિલ્લાના ખંભાળા તાલુકામાં આવેલા કોટડા ગામની આ ઘટના છે. આ વિસ્તાર ગીર (પૂર્વ) વન વિભાગની હદમાં આવતાં તુલસીશ્યામ રેન્જમાં આવેલો છે.કૂવા પાસેથી વન વિભાગના કર્મચારીઓને સિંહ-સિંહણની જાેડીના પંજાના નિશાન મળ્યા હતા. અકસ્માતે બંનેનું મોત થયું હોવાનું નોંધવામાં આવ્યું છે. એક ખેડૂતે જાેયું કે, સિંહણ પાણીમાં ડૂબી ગઈ હતી જ્યારે સિંહ જીવ બચાવવા માટે વલખા મારી રહ્યો હતો. જે બાદ ખેડૂતો વન વિભાગને તાત્કાલિક જાણ કરી હતી અને ૧૨ મિનિટમાં જ એક ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. જાેકે, ટીમ પહોંચી ત્યાં સુધીમાં સિંહનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું.મુખ્ય વન સંરક્ષક (વાઈલ્ડલાઈફ) આરાધના સાહુએ કહ્યું, “અમને પંજાના નિશાન મળ્યા હતા. હવે, સિંહ અને સિંહણ કોઈ શિકારની પાછળ દોડી રહ્યા હતા કે એકબીજાની તે સ્પષ્ટ નથી થયું.” સિંહ અને સિંહણ બંનેની ઉંમર ૫થી૯ વર્ષની વચ્ચે હતી.શનિવારે દલખણિયા રેન્જમાં વધુ એક સિંહ કૂવામાં પડી ગયો હતો. જાેકે, વન વિભાગની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી હતી અને તેને બચાવી લીધો હતો. જે બાદ સિંહને સારવાર માટે અંબારડી સફારી પાર્કમાં ખસેડવામાં આવ્યો હતો. સારવારનો ૯૦ ટકા ખર્ચ વન વિભાગ ઉઠાવે છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ૨૦૦૭-૦૮થી ગીર (પૂર્વ)માં ૧૧,૭૪૮ કૂવા પર બેરિકેડ લગાવવામાં આવ્યા છે અને હાલના નાણાંકીય વર્ષમાં ૨૪૦ કૂવા પર બેરિકેડ લગાવ્યા છે. “અમરેલીમાં ૮,૯૬૨ જેટલા અને ગીર સોમનાથમાં ૨,૭૮૨ જેટલા કૂવા પર પાળી કરવામાં આવી છે. જાેકે, આ ફક્ત અમારા ડિવિઝનના આંકડા છે. આ સતત ચાલતી પ્રક્રિયા છે અને નવા કૂવા બનતા રહેશે”, તેમ નાયબ વન સંરક્ષક (ગીર-પૂર્વ) રાજદીપ સિંહ ઝાલાએ જણાવ્યું.

Related posts

કોંગ્રેસના ધારાસભ્ય પુંજાભાઈ વંશે બિન સંસદીય શબ્દો વાપરતા 7 દિવસ માટે સસ્પેન્ડ,કોંગ્રેસનું વોકઆઉટ-વિધાનસભામાં થયો મોટો હોબાળો

saveragujarat

ભારતમાં કોરોનાના કેસમાં નજીવો વધારો નોંધાયા બાદ થયો ઘટાડો

saveragujarat

અમદાવાદની બાપુનગર પર બેઠક રાજકીય સામાજિક સમીકરણ કેવા છે? જાણો

saveragujarat

Leave a Comment