Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

દહેગામ બેઠકથી યુવરાજસિંહ જાડેજા ચૂંટણી નહીં લડે

સવેરા ગુજરાત  અમદાવાદ, તા.૮
આમ આદમી પાર્ટીએ આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોની ૧૨ મી યાદી જાહેર કરી છે. જ્યાં દહેગામથી સુહાગ પંચાલને આમ આદમી પાર્ટીના ઉમેદવાર જાહેર કર્યા છે. જ્યારે કે આ બેઠક પર યુવા નેતા યુવરાંજ સિંહ જાડેજાને ટિકિટ આપે તેવી ચર્ચા ઉઠી હતી. ત્યારે દેહગામ બેઠક પરથી યુવરાજસિંહ જાડેજા ચૂંટણી નહિ લડે તેવું સામે આવ્યું છે. જાેકે, આ મામલે યુવરાજસિંહ જાડેજાએ ખુલાસો કર્યો. આપ દ્વારા સાત વિધાનસભાની બેઠકો જીતાડવાની જવાબદારી યુવરાજસિંહ જાડેજાને સોંપાઈ છે. યુવરાજસિંહને ગુજરાત આપના સ્ટાર પ્રચારક બનાવાયા છે. જેથી સુહાગ પંચાલ દેહગામના નવા ઉમેદવાર જાહેર કરાયા છે.
દહેગામ બેઠક પરથી આપના ઉમેદવાર યુવરાજસિંહ જાડેજા હતા. ત્યારે યુવરાજસિંહ જાડેજાની ચૂંટણી ન લડવાની જાહેરાત કરી છે. સવાલ એ છે કે શું આમ આદમી પાર્ટીમાં નવો ડખો ઉભો થયો છે? આ સવાલનો જવાબ યુવરાજસિંહે આપ્યો છે. પોતાને સ્ટાર પ્રચારક બનાવ્યા હોવાની ખુદ યુવરાજસિંહે જાહેરાત કરી છે. આમ આદમી પાર્ટીએ સાત વિધાનસભા બેઠકો જીતાડવાની જવાબદારી યુવરાજે સોંપી છે. જેથી સુહાગ પંચાલને દહેગામના આપના ઉમેદવાર બનાવ્યા છે.
યુવરાજસિંહ જાડેજા આ અંગે જવાબ આપ્યો કે, પાર્ટીએ મને જે કાર્યભાર આપવામાં આવી તે હું સ્વીકારુ છું. મને પાર્ટીએ કહ્યું કે, તમે દહેગામ નહિ, પરંતું ગુજરાતના યુવકોના લોકચાહક છો અને યુવાઓના દિલના રાજા છો. તેથી તેમ યુવાઓ સુધી આપના વિચારો પહોંચાડો. તેઓે ગુજરાતના યુવા શક્તિને એકજૂટ કરો. મને ગુજરાતના સ્ટારપ્રચારક તરીકે નિમણૂંક અપાઈ. પાર્ટીએ જે જવાબદારી મને સોંપી છે, પાર્ટીનો ર્નિણય સર્વોપરી અને સર્વમાન્ય છે.

Related posts

કાલથી બે માસ સુધી ચાલનારી આઇપીએલ મેચનો પ્રારંભ થશે : ક્રિકેટના રસિકો અને સટ્ટાખોરમાં મોજમાં

saveragujarat

સોમનાથમાં દિવાળી પર્વમાં પ્રવાસીઓનો વધ્યો ધસારો

saveragujarat

Ukમાં MBA કરતી પત્નીની છાતીમાં ચાકૂમારી ઘાતકી હત્યા કરી

saveragujarat

Leave a Comment