સવેરા ગુજરાત
અમદાવાદ,તા.26
ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે પ્રકાશપર્વ દીપાવલી અને નૂતન વર્ષના પાવન અવસરે
રાજ્યના નાગરિકોને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે.
રાજ્યપાલશ્રીએ શુભકામના સંદેશમાં જણાવ્યું છે કે, દીપાવલીનું આ પાવન પર્વ સમાજમાં સુખ-શાંતિ
અને સમૃદ્ધિ લાવનારૂં પ્રકાશપર્વ બની રહેશે. રાજ્યપાલશ્રીએ દીપાવલી તહેવારોના મંગલ અવસરે કામના
કરી છે કે, નવી આશાઓ અને સકારાત્મક જીવનની ઉર્જા સાથે આ નવું વર્ષ સમાજમાં પ્રેમ-શાંતિ અને
પરસ્પર સંવાદિતાને વધુ મજબૂત બનાવશે તેમજ રાષ્ટ્ર અને રાજ્યને વિકાસના નવા શિખરો સર કરાવનારું
બની રહેશે.