Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચાર

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ‘ઇમરજન્સી મેડિકલ ડે’ નિમિત્તે અમદાવાદની બી.જે.મેડિકલ કોલેજ ખાતે ભારતીય જનતા પાર્ટી – કર્ણાવતી મહાનગર દ્વારા ‘કાર્યકર્તા CPR ટ્રેનિંગ અભિયાન’નું આયોજન થયું

સવેરા ગુજરાત,અમદાવાદ, તા.૨
આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, આપણે સૌએ તાજેતરમાં અનેક એવા કિસ્સાઓ જાેયા છે કે કોવિડની મહામારી બાદ નાની વયે હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે. સમાન્ય રીતે હાર્ટ એટેકના કિસ્સામાં ૧૦ થી ૨૦ મિનિટના ‘ગોલ્ડન ઓવર’માં જાે દર્દીને પ્રાથમિક સારવાર મળી રહે તો તેનો જીવ બચી શકે છે ત્યારે આ અંગેની જાગૃતિ લાવવા માટે રાજ્ય સરકાર, ભારતીય જનતા પાર્ટી તેમજ ડોક્ટર સેલ દ્વારા ‘કાર્યકર્તા CPR ટ્રેનિંગ અભિયાન’નું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી એ વધુમાં કહ્યું કે, આજે રાજ્યની ૩૮ મેડિકલ કોલેજાેમાં ૧૨૦૦ થી વધુ તબીબો દ્વારા ગુજરાતના અંદાજિત ૭૦ હજારથી વધુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે જેનો એક વર્લ્ડ રેકોર્ડ નોંધાવા પણ જઈ રહ્યો છે.ભારતીય જનતા પાર્ટીના કાર્યકરની કટિબદ્ધતા અંગે મુખ્યમંત્રી એ કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ગમે તેવી મુશ્કેલી હોય ત્યારે સેવાના કામમાં જરૂર આવીને ઉભો રહે છે. ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર્તા જનતાની સેવા માટે સમર્પિત છે. સમર્પિત કાર્યકર્તાઓને કારણે જ દરેક અભિયાન શક્ય અને સફળ બનતું હોય છે.ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા જનતાની વચ્ચે રહીને હર હંમેશથી સેવા કરતો આવ્યો છે. લોકોની વચ્ચે રહીને દરેક મુશ્કેલીના સમયમાં નાગરિકોની સેવા કરવી એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની કાર્યપધ્ધતિ રહી છે એવો મુખ્યમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશના દરેક નાગરિકોને અહેસાસ થયો છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર તેમની દરકાર કરે છે આ વિશ્વાસનું પરિણામ જનતાએ જાેયું છે. આમ ભારતીય જનતા પાર્ટીની જીત એ જ આ વિશ્વાસનું પરિણામ છે.’જે કહેવું એ કરવું’ અને જ્યાં સુધી પરિણામ ન મળે ત્યાં સુધી પ્રયાસો કરતા રહેવું એવી કાર્ય પદ્ધતિ નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં દરેક કાર્યકર્તાએ અપનાવી છે. રાજ્ય સરકારે પણ ૫ લાખનું વીમા કવચ વધારીને ૧૦ લાખ કર્યું છે. એટલું જ નહીં દરેક તાલુકા લેવલે ડાયાલિસિસ સેન્ટર પણ ઉભા કરવામાં આવ્યા છે. આ બધું ‘જે કહેવું એ કરવું’ તેનું ઉદાહરણ છે એમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું. આ અવસરે મુખ્યમંત્રી દ્વારા ૧૦૮ ના ૧૦ કર્મચારીઓને ‘ગોલ્ડન ઓવર’માં લોકોના જીવ બચાવવા બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા.આ અવસરે અમદાવાદ શહેર અધ્યક્ષ અને એલિસબ્રિજના ધારાસભ્ય અમિતભાઈ શાહે કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી અને ડોક્ટરસેલના ઉપક્રમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ માટે CPR ટ્રેનીંગનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યકર્તાઓ આ ટ્રેનિંગ થકી ઘણા લોકોના જીવન બચાવી શકશે તેઓ વિશ્વાસ તેમને વ્યક્ત કર્યો હતો અને આ અભિયાનને સફળ બનાવવા માટે સિવિલ હોસ્પિટલની ટીમને જે સહયોગ મળ્યો તેના બદલ તેમણે આભાર પણ વ્યક્ત કર્યો હતો.આ અવસરે અસારવા વિધાનસભાના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા, નરોડાના ધારાસભ્ય પાયલ કુકરાણી, ધારાસભ્ય બાબુભાઈ પટેલ, મહામંત્રી, પ્રદેશ ડોક્ટર સેલના સંયોજક ધર્મેન્દ્રભાઈ ગજ્જર, અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડીન અને સુપ્રિટેન્ડેન્ટ તેમજ મેડિકલના વિદ્યાર્થીઓ તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

તમે મને જે સંસ્કાર, શિક્ષા, સમાજ માટે જીવવાની શક્તિ આપી તેના કારણે જ ૮ વર્ષ માતૃભૂમિની સેવામાં મેં કોઈ કસર બાકી નથી રાખી ઃ પ્રધાનમંત્રી મોદી

saveragujarat

વિશ્વ શાંતિ કેન્દ્ર શ્રી મુક્તજીવન સ્વામીબાપા સ્મૃતિ મંદિર, ઘોડાસરમાં અનંત શ્રી વિભૂષિત જગતગુરુ સ્વામી શ્રી રામભદ્રાચાર્યજી મહારાજની શુભેચ્છા મુલાકાત…

saveragujarat

ભાજપના પ્રેદેશ અધ્યક્ષે વડોદરાના મેયરનો ઉધડો લીધો

saveragujarat

Leave a Comment