સવેરા ગુજરાત, અમદાવાદ તા. ૦૨
અમદાવાદના ગ્રાઉન્ડ ખાતે આજે મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં શ્રી રાજનગર શ્વે. મૂ. તપાગચ્છ સંઘ (પશ્ચિમ વિભાગ) દ્વારા આયોજિત મહાપ્રભાવક સર્વસિદ્ધિદાયક ૨૦૦ સિદ્ધિતપ પારણોત્સવ યોજાયો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ સૌ ઉપસ્થિતોને “મિચ્છામી દુક્કડમ” પાઠવીને જણાવ્યું હતું કે, ૨૦૦ સિદ્ધિતપ તપસ્વીઓના ૪૫ દિવસનાં સિદ્ધિ તપનાં પારણાંના આ પ્રસંગે ઉપસ્થિત રહીને હું ધન્યતા અનુભવું છું. મુખ્યમંત્રીએ આ પ્રસંગે જૈન ગુરુજનો અને મહારાજ સાહેબના આશીર્વાદ મેળવ્યાં હતાં. આ પારણોત્સવમાં રજવાડી શોભાયાત્રા સાથે રાજાશાહી પારણાં યોજાયા હતાં. પ.પૂ.આચાર્યદેવ શ્રીમદ્ વિજય ચન્દ્રજિતસૂરીશ્વરજી મહારાજે આ પ્રસંગે તપનું મહત્વ સમજાવતા આશીર્વચન પાઠવ્યાં હતા. આ પ્રસંગે ધારાસભ્યશ્રી રાકેશ શાહ, શહેર ભાજપ પ્રમુખશ્રી અમિત શાહ, આચાર્યો, ગુરુજનો,જૈન શ્રેષ્ઠીઓ, અગ્રણીઓ, તપસ્વીઓ અને તેમના પરિવારજનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.