Savera Gujarat
Other

વડાપ્રધાન મોદી માતૃશ્રી હિરાબાના ૧૦૦માં જન્મદિવસે આર્શિવાદ મેળવશે

સવેરા ગુજરાત, ગાંધીનગર તા. 17
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતુશ્રી હિરાબા શનિવારે ૧૦૦મો જન્મદિન મનાવશે અને મોદી જેઓ આવતીકાલે સાંજે ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે તેઓ શનિવારે માતાના આશિર્વાદ લેશે. વડાપ્રધાન બન્યા બાદ શ્રી મોદી ગુજરાતના પ્રવાસ સમયે માતુશ્રીને મળવા માટે ખાસ સમય ફાળવ્યો અને શનિવારે હીરાબા ૧૦૦માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે તે પ્રસંગે તેઓ શનિવારે તેમના સતાવાર કાર્યક્રમો શરૂ કરતા પુર્વે માતાના આશિર્વાદ મેળવશે. શ્રી મોદી આ ઉપરાંત શનિવારે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાનો પણ પ્રારંભ કરાવશે. આ યોજના હેઠળ રાજય સરકાર ગર્ભવતી મહિલાઓને પ્રસૂતી પુર્વે અને પછી પોષણયુક્ત આહાર મળે તે માટે ખાસ આયોજન કર્યુ છે. ઉપરાંત નવજાત શીશુને પણ પોષણયુક્ત આહાર માટે આયોજન થયું છે. ગાંધીનગર મહાપાલિકાએ હિરાબા જયાં રહે છે તે રાયસનના ૮૦ મીટરના માર્ગને માતુશ્રી હિરાબા માર્ગ નામ આપવા ર્નિણય લીધો છે. આ ઉપરાંત વડાપ્રધાનના વતન વડનગરમાં પણ હિરાબાના જન્મદિને સાંસ્કૃતિક અને ધાર્મિક આયોજન થયા છે.

Related posts

જામનગરમાં ભારતીય જનતા પાર્ટીની ઐતિહાસિક જીત, વિજય સંમેલન યોજાયું

saveragujarat

ઉત્તરાખંડમાં ગંગોત્રી પાસે ગુજરાતીઓની બસ ખીણમાં ખાબકતા સાતના મોત થયા

saveragujarat

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર ખાતે જંગી જાહેર સભાને સંબોધતા :  મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ 

saveragujarat

Leave a Comment