સવેરા ગુજરાત/નવી દિલ્હી: કેન્દ્રના લાખો કર્મચારીઓ તથા પેન્શનર્સને માટે લાંબા સમયથી રાહ જોવાતા સારા સમાચાર મળી ગયા છે. કેન્દ્રના કર્મચારીઓ તથા પેન્શનર્સના મોંઘવારી ભથ્થા (ડી.એ.)માં 3%નો વધારો થયો છે. આજે મળેલી કેન્દ્રીય કેબીનેટની બેઠકમાં ડીએ વધારાને મંજુરી અપાઈ હતી અને તેથી હવે ડીએ 31% માંથી 34% થશે તથા તા.1 જાન્યુ. 2022 થી તેની અસર આપવામાં આવશે.જેથી હવે લગભગ ત્રણ માસનું એરીયર્સ મળશે. આ નિર્ણયથી કેન્દ્રની તિજોરી પર રૂા.12000 કરોડનો બોજો પડશે. કેન્દ્રના પગલે હવે રાજયના કર્મચારીઓને પણ આ ડી.એ. વધારો મળશે અને રાજય સરકારો એક બાદ એક નિર્ણય લેશે. ગુજરાતમાં પણ રાજય સરકાર આગામી માસમાં આ નિર્ણય લેશે.