સવેરા ગુજરાત/હિંમતનગર:-સાબરકાંઠા જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્યની 2019 માં નવી ભરતી થયેલ ભરતી થયેલા નવીન આચાર્યોને પગાર ફિકસેશન છેલ્લા બે વર્ષથી અટકેલ હતુ તે આજરોજ જિલ્લાના જિલ્લા શિક્ષણ અધિકારી સંજય વ્યાસ .આચાર્ય સંઘના પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ અને સંઘના મહામંત્રી કિરણ પટેલની હાજરીમાં આજરોજ આદેશ અપાયા .આજરોજ આદેશ અપાતા નવી નિમણૂક પામેલા આચાર્યએ જિલ્લા શિક્ષણાધિકારી ,ઓએસ કમલેશભાઈ પટેલ અને એકાઉન્ટ ઓફિસર ઉષાબેન ગામિતનો આભાર માન્યો હતો જિલ્લા શિક્ષણાધિકારીએ શાળામા સારું શૈક્ષણિક કાર્ય થાય અને સહ પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓ ભાગ લે તેમજ સૈનિક ફંડમાં ઉદાર હાથે ફાળો આપે તેવી હાકલ કરી હતી.
રાકેશ નાયક ઇડર