કાશ્મીર, હિમાચલ પ્રદેશ સહીતના ઉતર ભારતના રાજયોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે અને સર્વત્ર બરફની ચાદર છે.હિન્દુઓના પવિત્ર યાત્રાધામમાં વૈષ્ણોદેવી મંદિર પણ બરફથી ઢંકાઈ ગયુ છે.ત્રિકુટા પર્વત પર ર્માં વૈષ્ણોદેવી ભવન ફરતે બરફ છવાયો છે અને તેનો અલૌકિક નજારો પણ આકર્ષણરૂપ બન્યો છે.શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈનબોર્ડના કાર્યકરો દ્વારા માર્ગ પરથી બરફ હટાવીને શ્રધ્ધાળુઓ માટે રસ્તો સાફ કરવામાં આવી રહ્યો છે. હિમવર્ષા-ખરાબ વાતાવરણને કારણે હેલીકોપ્ટર સેવા પણ બંધ કરી દેવામાં આવી હતી.