ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળે ગુરુવારે બપોરે 1.30 કલાકે રાજભવન ખાતે નવા મંત્રીમંડળની શપથવિધી યોજાઈ હતી. જેમાં ‘નો રિપીટ’ થિયરી અપનાવીને તમામ જૂના મંત્રીઓને કેબિનેટમાં પડતા મૂકવામાં આવ્યા હતા. ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં કુલ 24 મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. દરેક મંત્રીઓને ખાતની ફાળવણી કરવામાં આવી છે.