Savera Gujarat
કરંટ અફેયરતાજા સમાચારભારત

૭૫મા પ્રજાસત્તાક દિવસ નિમિતે મહાનગર અધ્યક્ષ  અને ધારાસભ્ય અમિતભાઈ પી. શાહના વરદ્દહસ્તે ધ્વજવંદન કાર્યક્રમ મહાનગર કાર્યાલય જે.પી. ચોક ખાનપુર ખાતે યોજાયો

સવેરા ગુજરાત, અમદાવાદ  ,તા.26

૭૫મા પ્રજાસત્તાક દિવસ નિમિતે મહાનગર અધ્યક્ષ  અને ધારાસભ્ય અમિતભાઈ પી. શાહના વરદ્દહસ્તે ધ્વજવંદન કાર્યક્રમ મહાનગર કાર્યાલય જે.પી. ચોક ખાનપુર ખાતે યોજાયો.
​કર્ણાવતી મહાનગર મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે આજરોજ ૭૫મા પ્રજાસત્તાક દિવસ નિમિતે કર્ણાવતી મહાનગર ભાજપ કાર્યાલય જે. પી. ચોક ખાતે ધ્વજવંદન કાર્યક્રમ મહાનગર ભાજપ અધ્યક્ષ  અને ધારાસભ્ય  અમિતભાઇ પી. શાહના વરદહસ્તે યોજાયો હતો.


મહાનગરના સૌ નગરજનોને શુભેચ્છા પાઠવતા  શાહે જણાવ્યું કે, આ મહામુળી આઝાદી આપણને ખુબ મોટા સંઘર્ષ અને અનેક નામી- અનામી શહીદોના બલિદાનના કારણે મળી છે. વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ ભારત દેશને આત્મનિર્ભર બનાવી વર્ષ ૨૦૪૭ એટલે કે આઝાદીની શતાબ્દી વર્ષ સુધી વિકસિત ભારતની પરિકલ્પનાને સાકાર કરવા સૌએ સાથે કમર કસી કામે લાગી જવા વિંનતી કરી હતી.
આજના આ પ્રસંગે સાંસદ  ડૉ.કિરીટભાઈ સોલંકી, મહાનગર સંગઠનના પદાધિકારી , ધારાસભ્ય , કોર્પોરેશનના પદાધિકારી કાઉન્સિલરશ્રીઓ, કાર્યકર્તા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પરસ્પર મોં મીઠું કરાવી ઉજવણી કરવામાં આવી હતી. ભારત માતા કી જય અને વંદેમાતરમના નાદ સાથે સમગ્ર વાતાવરણ રાષ્ટ્ર ભક્તિથી છલકાઈ ગયો હતો

Related posts

મોતના ત્રણ દિવસ પહેલા તુનિષાએ મમ્મીને મોકલી હતી વોઈસ નોટ

saveragujarat

ભાજપ-આપનુ ટિવટ૨ યુધ્ધ ચ૨મસીમાએ : ડિબેટ માટે ખુલ્લી ચેલેન્જ ક૨તા મનીષ સિસોદિયા

saveragujarat

અંગ્રેજી કરતાં માતૃભાષામાં નાપાસ થનારાની સંખ્યા વધુ

saveragujarat

Leave a Comment