સવેરા ગુજરાત,અંબાજી ,તા.14
વિશ્વના સૌથી મોટા શક્તિપીઠ અંબાજી મંદિરને પતંગોથી શણગારવામાં આવ્યુ હતું.
જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે જે દેશના 51 શક્તિપીઠમાં સૌથી મોટું શક્તિપીઠ ગણાય છે આજે ઉત્તરાયણ નો પર્વ હોવાથી અંબાજી મંદિર ખાતે રંગબેરંગી પતંગો નો શણગાર જોવા મળ્યો હતો. ખેડબ્રહ્મા ના ભક્તો દ્વારા ઉતરાયણના એક દિવસ અગાઉ અંબાજી મંદિરમાં આવીને રંગબેરંગી પતંગો નો શણગાર કરવામાં આવે છે.
આ પતંગોમાં પ્લાસ્ટિકની, કાગળની માછલી આકારની, ચીલ, ફુદ્દા સહિતની નાની મોટી પતંગોનો શણગાર કરવામાં આવે છે અને અંબાજી મંદિર ખૂબ જ સુંદર લાગી રહ્યું છે પતંગોના શણગાર થયા બાદ. પતંગ ઉપર જય અંબે લખેલું પણ જોવા મળી રહ્યું છે