Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચાર

૨૦૨૭માં ગુજરાતમાં સરકાર બનાવીશું : અરવિંદ કેજરીવાલ

નવી દિલ્હી, તા.૧૮
આમ આદમી પાર્ટીને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જાે મળ્યા બાદ રવિવારે (૧૮ ડિસેમ્બર) દિલ્હીમાં આપ સંયોજક અરવિંદ કેજરીવાલે પાર્ટીનું રાષ્ટ્રીય અધિવેશન બોલાવ્યું. આ અધિવેશનમાં તેમણે પાર્ટી કાર્યકર્તાઓ અને પદાધિકારીઓને સંબોધિત કરી પાર્ટીના વિઝન વિશે વાત કરી હતી. તેમણે કહ્યું કે, ૨૦૨૭માં ગુજરાતમાં આમ આદમી પાર્ટી સરકાર બનાવશે. અરવિંદ કેજરીવાલે પદાધિકારીઓને સંબોધિત કરતા કહ્યુ કે, ભગવાને ભારતને ઠીક કરવા માટે આમ આદમી પાર્ટીને પસંદ કરી છે. તેમણે દાવો કર્યો કે દિલ્હીમાં તેમણે છેલ્લા ૫થી ૭ વર્ષમાં ૧૨.૩૦ લાખ લોકોને રોજગાર આપ્યો છે. તો પંજાબની આપ સરકાર ૨૧ હજાર લોકોને સરકારી નોકરી આપી ચુકી છે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે દિલ્હીએ દેખાડ્યું કે બેરોજગારી અને મોંઘવારીનું સમાધાન થઈ શકે છે પરંતુ તેની પાછળ સારી નિયત હોવી જાેઈએ. તેમણે કહ્યું કે લોકો મને પૂછે છે કે આમ આદમી પાર્ટીનું વિઝન શું છે? પરંતુ મારૂ આમ આદમી પાર્ટીનું નહીં પરંતુ આ દેશને લઈને શું વિઝન છે?
તેમણે કહ્યું કે, આપણા દેશે આગામી ૫થી ૧૦ વર્ષમાં ક્યાં હોવું જાેઈએ, અમે તેના વિશે વિચારીએ છીએ. પરંતુ આમ આદમી પાર્ટી આ દેશના વિઝનને પૂરુ કરવાનું કામ કરશે. તેમણે કહ્યું કે અમે એવો દેશ ઈચ્છીએ છીએ જ્યાં પર દરેક જાતિ અને ધર્મના લોકો વચ્ચે પ્રેમ હોય. જાતિ અને ધર્મના નામ પર કોઈ હિંસા ન થવી જાેઈએ. અરવિંદ કેજરીવાલે કહ્યુ કે જાે કોઈ દેશમાં લોકો એક સાથે જાેડાઈને કામ ન કરે તો દેશ ક્યારેય પ્રગતિ કરી શકતો નથી. દેશ ૧૩૦ કરોડ લોકોના એક પરિવારની જેમ છે. જે પણ પાર્ટી કે સંસ્થા દેશના ટુકડા-ટુકડા કરવા વિશે વિચારે છે તે દેશની પ્રગતિ ઈચ્છતી નથી. તે આ દેશને ૧૯મી સદીમાં લઈને જવા ઈચ્છે છે.
અરવિંદ કેજરીવાલે કહ્યું કે અમને એવો દેશ જાેઈએ છે જ્યાં કોઈ ભૂખ્યું ન સૂવે અને દરેકને પૂરતી રોટલી મળે. ચાલો એક એવા ભારતની કલ્પના કરીએ જે માત્ર પોતાના દેશ માટે જ નહીં પરંતુ વિશ્વના ગરીબ દેશોને ભોજન આપવા માટે પણ સક્ષમ છે. આપણો દેશ વિશ્વમાં શિક્ષણનું હબ બનવું જાેઈએ. તેમણે કહ્યું કે આજે અમારા બાળકો યુક્રેનમાં મેડિસિનનો અભ્યાસ કરવા જાય છે તે શરમજનક બાબત છે. અમે એવા ભારતની કલ્પના કરીએ છીએ જ્યાં ટોચની દસ યુનિવર્સિટીઓ ભારતમાં હશે. આપણા દેશમાં બહુ ગંદી રાજનીતિ ચાલી રહી છે, જાે કોઈ સંશોધનમાં આગળ વધે તો તેને પગથી ખેંચીને નીચે પાડી દે છે. તેવા ભારતની કલ્પના કરીએ છીએ કે હું આ દેશની ગરીબીને દૂર કરવા ઈચ્છતો નથી પરંતુ દરેક ગરીબ વ્યક્તિને ધનવાન બનાવવા ઈચ્છુ છું. આ વિઝન મેળવવા માટે આમ આદમી પાર્ટી એકમાત્ર વિકલ્પ છે.

Related posts

ટ્રક પાછળ કાર ઘુસી જતા ડાકોરનાં ત્રણ યુવાનોનાં મોત

saveragujarat

માનાવ અધિકાર ગ્રૃપ દ્વારા ખ્રિસ્તી ધર્મના વડા રત્નાસ્વામિના જન્મદિન નિમીતે કોમી એકતા અને સદભાવનાથી કરવમા આવી ઉજવણી.

saveragujarat

યાત્રાધામ અંબાજીમાં સિદ્ધહેમ સેવા કેમ્પ પાટણ દ્વારા અંબાજી દર્શન આવનાર પદયાત્રિકો માટે વિના મુલ્યે ભોજન પ્રસાદ ની સેવા આપવામાં આવી રહી છે

saveragujarat

Leave a Comment