Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

ગુજરાતની આમ આદમી પાર્ટીમાં ધરખમ ફેરફારની તૈયારીમાં

સવેરા ગુજરાત, અમદાવાદ, તા.૧૫
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે રેકોર્ડ ૨૫૬ બેઠકો મેળવી ઐતિહાસિક જીત મેળવી છે. જાેકે, આ વખતે પહેલી વખત ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવનારી આમ આદમી પાર્ટીએ ઝંઝાવાતી પ્રચાર કર્યો હતો અને ભાજપને ટક્કર આપવા પ્રયાસ કર્યો હતો. જાેકે, આમ આદમી પાર્ટીને માત્ર ૫ જ બેઠકો મળી શકી છે. ત્યારે હવે જાણવા મળી રહ્યું છે કે, આમ આદમી પાર્ટી તેના ગુજરાતના સંગઠનમાં મોટો ફેરફાર કરવા જઈ રહી છે. જણાવાઈ રહ્યું છે કે, અલ્પેશ કથીરિયાને પ્રદેશ પ્રમુખનું પદ સોંપવામાં આવી શકે છે અને ગોપાલ ઈટાલિયાને રાષ્ટ્રીય સ્તરે મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે. ગુજરાતની ચૂંટણીમાં આપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઈસુદાન ગઢવી, પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા સહિતના ધૂરંધરોને હારનો સામનો કરવો પડ્યો છે. તો, જે સૌથી વધુ મજબૂત જણાતા હતા તે અલ્પેશ કથીરિયા પણ સુરતની વરાછા બેઠક પરથી હારી ગયા. આમ આદમી પાર્ટીના ઉમેદવારોની સભામાં લોકો તો મોટી સંખ્યામાં એકઠા થતા હતા, પરંતુ તેને વોટ પરિવર્તિત ન થયા. જેના કારણે આપને માત્ર પાંચ બેઠકોથી જ સંતોષ માનવો પડ્યો છે. જાેકે, આપના કારણે ગુજરાતમાં કોંગ્રેસને ઘણો ફટકો પડ્યો છે અને લગભગ ૩૫ બેઠકો પર તેના કારણે પરિણામો બદલાઈ ગયા. ગુજરાતમાં પાંચ બેઠકો જીત્યા બાદ હવે આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય સ્તરની પાર્ટી બની ગઈ છે. ત્યારે હવે આપના ગુજરાતના સંગઠનમાં ધરખમ ફેરફારો થશે તેવું કહેવાઈ રહ્યું છે. ગુજરાતમાં આપ હવે કોંગ્રેસનો વિકલ્પ બનવા તરફ આગળ વધી રહી છે, ત્યારે અલ્પેશકથીરિયાને પક્ષના નવા પ્રદેશ પ્રમુખ બનાવાશે અને હાલના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાને રાષ્ટ્રીય સ્તરે મોટી જવાબદારી સોંપવામાં આવશે તેવી અટકળો છે. હાલમાં આપના પાંચ ધારાસભ્યો અને મોટા આગેવાનો દિલ્હી પહોંચ્યા છે અને ત્યાં આપના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે બેઠક થયા પછી એવા સંકેત મળી રહ્યા છે કે, આપના ગુજરાતના સંગઠનમાં ફેરફાર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા પણ આમ આદમી પાર્ટીએ તેનું ગુજરાતનું માળખું વિખેરી નાખ્યું હતું. એકમાત્ર પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા જ પદ પર ચાલુ રખયા હતા અને બાકીનું આખું માળખું વિખેરી નાખ્યું હતું. તે પછી ગુજરાતની ચૂંટણીમાં ઈસુદાન ગઢવીને મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરાયા હતા. જાેકે, આમ આદમી પાર્ટીનો દાવ નિષ્ફળ રહ્યો હતો.

Related posts

દ્વારકામાં રચાશે ઈતિહાસ, ૫૧ હજાર આહીરાણીનો યોજાશે મહારાસ

saveragujarat

પરીક્ષાને તહેવારોની જેમ મનાવવા મોદીની વિદ્યાર્થીઓને સલાહ

saveragujarat

પ્રધાનમંત્રીના ગુજરાત આગમના પગકે વ્યવસ્થાઓનુ જાત નિરીક્ષણ કરતા મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલ.

saveragujarat

Leave a Comment