સવેરા ગુજરાત, અમદાવાદ,તા22
લોકશાહીનું થઇ રહ્યું છે અપમાન… કોંગ્રેસ ભાજપ કરી રહ્યા છે પક્ષ પલટાની રાજનીતિ…સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીના ઉમેદવારો પર ફોર્મ પાછું ખેચવા દબાણ કરાયું….
પ્રજાની સમસ્યાથી ભાજપ ,કોંગ્રેસ કે બીજી પાર્ટીઓને કઈ લેવા દેવા જ નથી.પ્રજા સમક્ષ ખાલી દેખાડો થઇ રહ્યો છે.સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીના 39-વિરમગામ વિધાનસભા વિસ્તારના ઉમેદવાર શ્રી મધુસૂદન બળદેવભાઈ પટેલ અને 50 અમરાઇવાડી વિધાનસભાના શંકર રામેન્દ્ર ભાઈ પાલ જેમને લોકોની સમસ્યાને વાચા આપતી તથા અખંડ ભારતના નિર્માણ હેતુ લોહપુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની વિચાર શ્રેણી પર ચાલી રહેલ સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીમાં સ્થાન આપવામાં આવ્યું હતું .પરંતુ ભારતીય જનતા પાર્ટીના અને કોંગ્રેસ પાર્ટીએ દબાણ કરી પોતાનું ઉમ્મેદવારી ફોર્મ પરત ખેંચવા મજબુર કર્યા..અહીં સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીની ગરિમાની સાથે સાથે લોકશાહીનું પણ અપમાન કર્યું છે.. ભાજપ-કોંગ્રેસ સહીત દરેક પક્ષો લોકશાહીની મજાક કરી રહ્યા છે.હવે કોઈ એક પક્ષ નથી રહ્યો…એટલે જ હવે જનતા સમજી વિચારી પોતાનો કિંમતી અને અમૂલ્ય મત ફક્ત બદલાવની રાજનીતિને આપે ,વિકાસની રાજનીતિ ને આપે.. જેમણે ખરા અર્થમાં જનતાની સમસ્યો પર ધ્યાન આપ્યું હોય અને તેમની સાથે લાગણીને જોડી રાખી હોય તેમને આપે…