સવેરા ગુજરાત, વાપી,તા.૧૮
આઝાદીના અમૃતકાળમાં દેશને પ્રાકૃતિક ખેતી, આત્મનિર્ભર ભારત, મેક ઇન ઇન્ડિયા, એક ભારત શ્રેષ્ઠ ભારત તેમજ ભારતને વિશ્વગુરુ બનાવવાની દિશા આપનાર ગુજરાતના લોકલાડિલા પનોતા પુત્ર અને ગુજરાતને વિકાસનું મોડલ બનાવનાર તેમજ દેશના પ્રધાનસેવક અને વૈશ્વિક નેતા નરેન્દ્રભાઇ મોદી આજથી ત્રણ દિવસ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જનતા જનાર્દનને સંબોધવા આવ્યા છે જેમાં આજે વલસાડ ના ગ્રીનવુડ, ઝુંઝવા ગામ ખાતે વિશાળ જાહેરસભા યોજાઇ હતી. જાહેરસભા પહેલા ડાભેલ ચેકપોસ્ટ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. વલસાડની જનતા તેમજ સાધુ-સંતો અને વિવિધ સમાજના આગેવાનોએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને રૂડો આવકાર આપ્યો. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી નો વાપીમાં ભવ્ય રોડ શો યોજાયો જેમાં ઉપસ્થિત જનતાએ મોદી….મોદી ..અને ભારત માતા કી જય ના નારા સાથે સ્વાગત કર્યુ તો વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી સાહેબે જનતાને વંદન કરી જનતા જનાર્દનનું અભિવાદન ઝીલ્યું હતુ.