Savera Gujarat
Other

અમેરિકા, કેનેડા, બ્રિટન સહિતના દેશોમાં વસતાં હિન્દુઓ પર હુમલા માટે પાકિસ્તાન જવાબદાર

વોશિંગ્ટનઃ તા. ૨૪,
દુનિયાભરમાં હિંદુઓ પર હુમલાની ઘટનાઓ વધી રહી છે. નફરતના મામલામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. અમેરિકી સંસ્થા નેટવર્ક કંટેજિયન રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટના રિસર્ચમાં ખુલાસો થયો છેકે હિંદુઓ સામે નફરત અને હિંસાના કેસમાં ૧૦૦૦ ટકાનો વધારો થયો છે. અમેરિકાની સંસ્થા નેટવર્ક કંટેજિયન રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટના સહ-સંસ્થાપક જાેએલ ફિંકેલસ્ટાઈને કહ્યું કે હિંદુ વિરોધી મીમ્સ, નફરત અને હિંસક એજન્ડા બનાવવામાં આવી રહ્યો છે. દુનિયાભરમાં હુમલા અને નફરતનો માહોલ બનાવવામાં શ્વેત અને કટ્ટરપંથી ઈસ્લામિક તત્વ આગળ છે. છેલ્લાં ૫ વર્ષ દરમિયાન હિંદુઓ પર હુમલાની ઘટનામાં વધારો થયો છે. ફિંકેલસ્ટાઈનના જણાવ્યા પ્રમાણે અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા જેવા મોટા દેશમાં હિંદુઓ પર હિંસા વધી છે. હિંદુફોબિયાને એક કાવતરા અંતર્ગત વધારવામાં આવી રહ્યું છે. અમેરિકામાં તપાસ એજન્સી હ્લમ્ૈંના એક રિપોર્ટ પ્રમાણે અમેરિકામાં ૨૦૨૦માં ભારતવંશી અમેરિકીઓ પર હુમલા ૫૦૦ ટકા વધ્યા છે. તેમાંથી મોટાભાગના હિંદુ ધર્માવલંબી છે. બીજીબાજુ ઉત્તર અમેરિકામાં હિંદુઓના સંગઠન ર્ઝ્રંૐદ્ગછના નિંકુજ ત્રિવેદીનું કહેવું છે કે જે પણ દેશમાં હિંદુ જઈને વસે છે, તે ત્યાંના વિકાસમાં યોગદાન આપે છે.
બ્રિટનના લિસ્ટર અને બર્મિગહામના સ્મેડેકમાં હાલમાં મંદિરો પર થયેલા હુમલામાં પાકિસ્તાની જેહાદી ગેંગના સાગરિતોનો હાથ સામે આવ્યો છે. બ્રિટિશ ગુપ્તચર એજન્સીઓનું કહેવું છે કે પાકિસ્તાનનું જેહાદી ટેરર નેટવર્ક બ્રિટનને યૂરોપમાં જેહાદ ફેલાવવામાં એકજૂટ છે. પાકિસ્તાનથી આતંકવાદીઓને લાવીને બ્રિટનના મદરેસામાં ચાલનારા સેફ શેલ્ટર હાઉસમાં રાખવામાં આવે છે. બ્રિટનમાં ૩૦ વર્ષ પહેલાં પાકિસ્તાની આતંકવાદી મસૂદ અઝહરે જેહાદી નેટવર્ક બનાવ્યું. ૨૦૦૫માં લંડનમાં બોમ્બ બ્લાસ્ટમાં અલકાયદા નેટવર્કનો હાથ હતો. આ હુમલામાં ૫૬ લોકોના મોત થયા હતા.
બ્રિટનની સંસદમાં રજૂ થયેલા રિપોર્ટ પ્રમાણે બ્રિટનની લગભગ ૭ કરોડની વસ્તીમાં ૪ ટકા મુસ્લિમ છે. પરંતુ મુસ્લિમોનો ક્રાઈમ રેટ સૌથી વધારે છે. બ્રિટનની જેલમાં બંધ કેદીઓમાંથી ૧૮ ટકા મુસ્લિમ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઈંગ્લેન્ડ અને વેલ્સની કુલ વસ્તીમાં ૨ ટકા હિંદુ છે. પરંતુ એકપણ હિંદુ જઘન્ય અપરાધના આરોપમાં જેલમાં બંધ નથી. બ્રિટનમાં જનગણનાના નવા રિપોર્ટ પ્રમાણે લગભગ ૧૪ લાખથી વધારે હિંદુ રહે છે. જ્યારે અહીંયા લગભગ ૧૧ લાખ પાકિસ્તાની છે. બ્રિટનમાં રહેનારી કુલ મુસ્લિમ વસ્તી લગભગ ૨૮ લાખ છે. બ્રિટને આ વર્ષે ૧૦,૦૦૦ ગેરકાયદેસર પાકિસ્તાનીઓને પાછા મોકલ્યા. છેલ્લા ઘણા સમયથી બ્રિટન તેમને પાછા મોકલવા માટે પાકિસ્તાન પર દબાણ કરી રહ્યું હતું. ઓગસ્ટ ૨૦૨૨માં બ્રિટનની તત્કાલીન ગૃહમંત્રી પ્રીતિ પટેલે કડક વલણ અપનાવીને તે કાર્યવાહીને અંજામ આપ્યો. બ્રિટિશ ગુપ્તચર વિભાગ ત્યાં રહેનારા ગેરકાયદેસર પાકિસ્તાનીઓને તપાસ કરી રહી છે. બ્રિટનમાં ગેરકાયદેસર રીતે રહેનારા પાકિસ્તાની લોકો ત્યાં રહેનારા અફઘાનિસ્તાન, ઈરાક, સીરિયા, મોરોક્કો, અલ્ઝીરિયાના મુસ્લિમોની સાથે ગેરકાયદેસર પ્રવૃતિઓમાં સામેલ થઈ જાય છે.

Related posts

દરામલી ચોકડી ઉપર જાદર પોલીસ દ્વારા સલામતી અને સુરક્ષા ને લઈ કેમ્પ યોજ્યો.

saveragujarat

યુક્રેનના રાષ્ટ્રપતિ સાથે PM મોદીએ કરી હતી વાત. યુદ્ધ રોકવા અને ફસાયેલાં ભારતીયો વિશે 35 મીનીટ વાત ચાલી હતી.

saveragujarat

દેશની ત્રીજી અને ગુજરાતની પહેલી ગાંધીનગરથી મુંબઈ વચ્ચે ૩૦ સપ્ટેમ્બરથી શરૂ થશે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન

saveragujarat

Leave a Comment