અહેવાલ = વિક્રમ સરગરા ,સવેરા ગુજરાત,અંબાજી તા. ૧૭
ધર્મનગરી શક્તિપીઠ યાત્રાધામ અંબાજી દેશ-વિદેશમાં જગવિખ્યાત છે લાખો કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર એવું યાત્રાધામ અંબાજી ખાતે સ્વામી વિવેકાનંદ ગુજરાત યુવા બોર્ડ, બનાસકાંઠા દ્વારા ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના ૭૩ માં જન્મદિવસની ઉજવણી અંબાજી મંદિર ચાચા ચોક ખાતે રામ જન્મભૂમિ નિર્માણ મંદિર અને ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની રંગોળી પુરીને જન્મદિવસની શુભકામના આપવામા આવી હતી. આ રંગોલીમાં મોદીજીના કાર્યકાળ દરમિયાન કરેલા કામોમાંથી એક અને નેતૃત્વમાં રામ જન્મભૂમિ મંદિરનું કાર્ય હાલ ચાલી રહ્યું છે તે દર્શાવતી રંગોળી માં અંબા ના ચાચર ચોક ખાતે પુરવામાં આવી હતી સમગ્ર ગુજરાતમાં ૫૯૦ જગ્યા રંગોલી ની સ્પર્ધા રાખવામાં આવી છે તેના ભાગરૂપે એક યાત્રાધામ અંબાજી ખાતે સ્વામી વિવેકાનંદ ગુજરાત યુવા બોર્ડ, બનાસકાંઠા દ્વારા આ રંગોલી નું આયોજન કરવામાં આવ્યું હતું