નવી દિલ્હી, તા.૨૫
રાજુ શ્રીવાસ્તવને ૧૦ ઓગસ્ટના રોજ એક્સરસાઇઝ કર્યા બાદ હાર્ટ એટેક આવ્યો હતો, જે બાદ તેમને વહેલી તકે દિલ્હી એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારથી તેની સ્થિતિમાં સતત વધઘટ થતી રહી છે. મગજના મોટા ભાગના નુકસાનના અહેવાલો પણ સામે આવ્યા હતા અને તેમને વેન્ટિલેટર પર દાખલ કરવામાં આવ્યા હતા. આજે પ્રખ્યાત કોમેડિયન અને એક્ટર રાજુ શ્રીવાસ્તવની હાલતમાં મોટો સુધારો જાેવા મળ્યો છે. રાજુ શ્રીવાસ્તવના અંગત સચિવએ આ માહિતી શેર કરતા કહ્યું કે, રાજુ શ્રીવાસ્તવ ૧૫ દિવસ પછી હોશમાં આવ્યા છે. એમ્સ દિલ્હીના ડોકટરો દ્વારા તેમની દેખરેખ રાખવામાં આવી રહી છે. તેમની તબિયતમાં સુધારો છે. શેખર સુમનથી લઈને અમિતાભ બચ્ચન સુધી તેઓ સતત તેમના સ્વાસ્થ્યના અપડેટ્સ લેતા હતા. વડાપ્રધાન મોદીએ પણ ડોક્ટરોને તેમની ખાસ કાળજી રાખવાની અપીલ કરી હતી. ડૉક્ટરોની ટીમે તેમના પર નજર રાખી હતી, જેના કારણે રાજુ શ્રીવાસ્તવના પરિવાર અને ચાહકોના ચહેરા પર ફરી એકવાર હાસ્ય ફરી વળ્યું છે.
previous post