Savera Gujarat
Other

આજે અમદાવાદમાં સૌથી વધુ કોરોના કેસ નોંધાયા, 26 દર્દીઓ સાજા થયા, એક પણ મોત નહીં

સવેરા ગુજરાત/ગાંધીનગર : રાજ્યમાં કોરોનાના નવા 34 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 26 દર્દીઓ સાજા પણ થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 12,13,997 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 99.09 ટકા સુધી પહોંચી ચુક્યો છે. બીજી તરફ કોરોનાના રસીકરણ મુદ્દે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કોરોનાના કુલ 25,473 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા.

બીજી તરફ એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 216 એક્ટિવ કેસ છે. જે પૈકી કોઇ પણ નાગરિક વેન્ટિલેટર પર નથી. તમામ 216 નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કોરોનાને કુલ 12,13,997 નાગરિકો કોરોનાને હરાવી ચુક્યાં છે. તો બીજી તરફ 10,944 નાગરિકોનાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. જો કે રાહતના સમાચાર કહી શકાય કે આજે કોરોનાને કારણે એક પણ નાગરિકનું મોત નથી થયું.

Related posts

અમે ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી બધામાંથી લડીશું,પુર્વીન પટેલે યોજી પ્રેસ કોંફરન્સ. આજથી ગુજરાતભરમાં SPG સરદાર પટેલ ગ્રૃપ દ્વારા આશીર્વાદ યાત્રા શરુ કરવામા આવી છે,

saveragujarat

અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોને નાના આંતરડાનું અંગદાન મેળવીને રીટ્રાઇવ કરવામાં બીજી વખત મળી સફળતા

saveragujarat

દેશમાં તમામ પ્રકારના ફ્યૂલ પર કેન્દ્ર સરકાર ૬૮ ટકા ટેક્સ લઈ રાજ્યો પર આરોપ લગાવી બચાવ કરે છે : રાહુલ ગાંધી

saveragujarat

Leave a Comment