સવેરા ગુજરાત, અમદાવાદ તા. ૦૪
સીનીયર સીટીઝન દ્વારા ગરીબ લોકોને સહાયભૂત થવું તેમજ સંકટની ક્ષણોમાં હંમેશા જનસેવા એજ પ્રભુ સેવાના પથ પર સચોટ અને સેવાકિય કાર્ય કરતી સંસ્થા સીનીયર સીટીઝન દ્વારા અનેક જનહિતના કાર્યો કરવામાં આવી રહ્યા છે તે અંતર્ગત આ સંસ્થાના પ્રમુખ ધનજીભાઇ પંચાલના નેતૃત્વ હેઠળ કમિટીના તમામ સભ્યો પણ પોતાનુ અમૂલ્ય યોગદાન આપી રહ્યા છે જે અંતર્ગત સીનીયર સીટીઝન સત્સંગ મંડળ માધવબાગ પાયલ નગર નરોડા અમદાવાદ તરફથી અખાત્રીજના શુભ દિવસે ગરીબોને તેમના છાપરાઓમાં ફરી ફરીને કમિટીના સભ્યો દ્વારા વિના મૂલ્યે ચંપલનું વિતરણ કરવામાં આવ્યું હતું.
previous post