Savera Gujarat
Other

અરવિંદ કેજરીવાલ-પંજાબ ના મુખ્યમંત્રી અમદાવાદમાં: સાબરમતી આશ્રમની મુલાકાત લીધી

સવેરા ગુજરાત/અમદાવાદ તા.2
ગુજરાતમા આગામી દિવસોમાં આવી રહેલી ધારાસભા ચૂંટણી પુર્વે આમ આદમી પાર્ટીના આગમનનો શંખનાદ ફુંકતા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તથા પંજાબની નવી ‘આપ’ સરકારના મુખ્યમંત્રી ભગવંત માન ગઈકાલે અમદાવાદ આવી પહોંચ્યા બાદ આજે તેઓ બપોર બાદ નિકોલમાં એક ભવ્ય રોડ શો યોજી રહ્યા છે. ગઈકાલે જ અમદાવાદ આવ્યા બાદ તેમનું વિમાની મથકે જબરુ સ્વાગત કરવામાં આવ્યું હતું.એટલું જ નહી આમ આદમી પાર્ટી દ્વારા અમદાવાદમાં કેજરીવાલના આવકારતા પોષ્ટર અને હોર્ડીંગ મુકાયા હતા. બાદમા કેજરીવાલ તથા ભગવંત માન એ ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી અને અહી તેઓએ મહાત્મા ગાંધીના જીવનની સ્મૃતિઓ અંગે માહિતી મેળવી હતી તથા ગાંધીજીનો પ્રિય તેઓ ચરખો કાંતીને તેઓએ પ્રતિકાત્મક રીતે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલી આપી હતી. શ્રી કેજરીવાલ આવતીકાલ સુધી અમદાવાદમાં રોકાવાના છે
અને આમ આદમી પાર્ટીની ચૂંટણી અને સંગઠન તૈયારીઓની સમીક્ષા કરશે અને તેઓના રોડ શો માટે જબરો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.  કેજરીવાલના આગમન સાથે જ ગુજરાતમાં ચૂંટણીનું વાતાવરણ ગરમાઈ ગયું છે. તેઓ આવતીકાલે સવારે સાઈબાગના સ્વામીનારાયણ મંદિર જશે અને બાદમાં પુરો દિવસ આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે બેઠકોનો દૌર યોજશે.

Related posts

ગયા વર્ષનું લસણ પાણીના ભાવે ખેડૂતો વેચી રહ્યા છે

saveragujarat

ઉજ્જૈન મહાકાલ મંદિરમાં મોબાઈલ અને બેગ લઈ જવા પર પ્રતિબંધ

saveragujarat

આ ઈ-કાર એકવાર ચાર્જ કરવાથી ચાલશે 300 કિલોમીટર, Alto કરતા પણ ઓછી હશે કિંમત…

saveragujarat

Leave a Comment