સવેરા ગુજરાત/ગાંધીનગર:- દેશના અલગ અલગ પાંચ રાજ્યના પરિણામ માટે ગૂજરાત ભારતીય જનતા પાર્ટીના નેતાઓ તેમજ તાલુકા કક્ષાએ કાર્યકરો સાથે મળી વિજયયાત્રાની ઉજવણી કરવામાં આવી હતી.
ગોવિંદ્ભાઈ પટેલે મીડિયાના માધ્યમથી ભારતીય જનતા પાર્ટી અને ગુજરાત સરકાર દ્વારા તાલુકા કક્ષાનુ બી.જે.પી.કલોલ સંગઠન-કાર્યકર્તાઓને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા .
દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશભરમાં લોકશાહીની ઉજવણીનો માહોલ જામ્યો છે તેવું જણાવ્યું હતું. આ સાથે સાથે ઢોલ નગારા સાથે ફટાકડા ફોડી ને ભવ્ય વિજયની ઉજવણી કરી હતી.