Savera Gujarat
Other

યુક્રેનમાં ફસાયેલા બનાસકાંઠા જિલ્લાના વિદ્યાર્થીઓના વાલીઓનો સંપર્ક કરી આશ્વાસન આપતા અધિકારીશ્રીઓ

સવેરા ગુજરાત/બનાસકાંઠા:-  પ્રાંત અધિકારીઓ અને નાયબ કલેકટરશ્રીઓએ વિદ્યાર્થીઓના માતા-પિતાને મળીને પરિસ્થિતિથી વાકેફ કર્યા

રશિયા- યુક્રેન યુદ્ધ શરૂ થતાં બનાસકાંઠા જિલ્લાના પાલનપુર, દાંતા અને સૂઇગામ તાલુકાના કુલ ૪ વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા છે. યુક્રેનમાં ફસાયેલા બનાસકાંઠા જિલ્લાના આ વિદ્યાર્થીઓના વાલીઓનો અધિકારીઓએ સંપર્ક કરી આશ્વાસન આપ્યું પુરૂ પાડ્યું હતુ. પ્રાંત અધિકારીઓ અને નાયબ કલેકટરઓએ વિદ્યાર્થીઓના માતા-પિતાને મળીને ત્યાંની પરિસ્થિતિ તથા સરકાર દ્વારા કરવામાં આવતા પ્રયાસોથી વાકેફ કર્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, યુક્રેનમાં ફસાયેલા ૪ વિદ્યાર્થીઓમાં શિહોરી ગામનાના બે વિદ્યાર્થીઓ આર્ય મુકેશભાઈ શાહ તથા નિસર્ગ ચિરાગભાઈ પટેલના માતા-પિતા તથા પાદર ગામના હાર્દિકભાઈ દઝાભાઈ ચૌધરીના વાલી તથા ખોડા ગામના દુર્ગેશ ભારમલભાઈના ઘરે જઈ અધિકારીઓએ રૂબરૂ મુલાકાત કરી આશ્વાસન આપ્યું હતુ. તેમ બનાસકાંઠા નિવાસી અધિક કલેકટર એ. ટી. પટેલે જણાવ્યું છે.

Related posts

નવરાત્રિમાં ગરબા રસીયાઓ માટે સુંદર પોષાકની વેરાયટીનો ભંડાર ચણિયાચોળી, દુપટ્ટા, કુર્તી સહિતની વેરાયટી ડિઝાઇનમાં ઉપલબ્ધ

saveragujarat

સેન્સેકસમાં ૮૭૯, નિફ્ટીમાં ૨૪૫ પોઈન્ટનો કડાકો, રૂપિયો પણ તૂટ્યો

saveragujarat

ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા ધો.૧૦-૧૨ ની પરીક્ષા મધ્યસ્થ મુલ્યાંકન કામગીરીનો બહિષ્કાર

saveragujarat

Leave a Comment