સવેરા ગુજરાત/અમદાવાદ:- રાજ્ય સરકારના મંત્રી અને નિકોલ વિધાનસભાના ધારાસભ્ય જગદીશભાઈ વિશ્વકર્મા એ ભારતીય જનતા યુવા મોરચા દ્વારા આયોજીત રક્તદાન કેમ્પમાં ઓઢવ વોર્ડ ખાતે રક્તદાન કર્યું હતું જગદીશભાઇ વિશ્વકર્માની ઉપસ્થીતી ને પગલે બહોળી સંંખ્યામા યુવાનો જોસાયા હતા .
મળતી માહિતી પ્રમાણે અમદાવાદ મા આવેલા ઓઢવ વિસતારમા ભારતીયા જનતા પાર્ટી યુવા મોર્ચા વોર્ડ દ્વારા દ્વારા એક રક્ત્દાન કેમ્પનુ આયોજન કરવામા આવ્યું હતુ જેમા યુવાનોએ મોટી મહેનતે આ કેમ્પને સફળ બનાવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. રક્તદાન કેમ્પના આયોજન સંદર્ભે ધારાસભ્ય જગદીશભાઈ વિશ્વકર્માએ સુચક હાજરી દર્શાવી હતી તેમજ તેઓએ “રક્તદાન મહાદાન” પર પોતાનુ વક્તવ્ય રજુ કરીને પોતે પણ રક્તદાન કર્યુ હતું.
આજ રોજ ભારતીય જનતા યુવા મોરચા ઓઢવ વોર્ડ દ્વારા “રક્તદાન એજ મહાદાન” શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેમાં ગુજરાત રાજ્ય સરકારના મંત્રી શ્રી તેમજ આપણા સૌના ધારાસભ્ય જગદીશભાઈ વિશ્વકર્મા કર્ણાવતી મહાનગર યુવા મોરચાના અધ્યક્ષ વિનય ભાઈ દેસાઈ અને વિધાનસભાના પ્રભારી નિકોલ વિધાનસભાના પ્રભારી ફલજીભાઈ ચૌધરી અને નિકોલ વિધાનસભા યુવા મોરચાના પ્રભારી સુહાગ ભાઈ સાથે જ સમસ્ત યુવા મોરચાના અને ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યું.