CORONA UPDATE GUJARAT :- નવા કેસ 3897 , રિકવર થયા 10273 , મોત 19.
સવેરા ગુજરત /ગાંધીનગર : રાજ્યમાં આજે કોરોનાનાં નવા 3897 કેસ નોંધાયા છે . તો બીજી તરફ 10273 દર્દીઓ રિકવર થઈ ચુક્યા છે . અત્યાર સુધીમાં કુલ 11,44,956 દર્દીઓ કોરોનાને માત આપી જંગ જીતી ચુક્યા છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 95.39 ટકાએ પહોંચી ગયો છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી હોવાથી . આજે રાજ્યમાં 60,578 દર્દીના ડોઝ અપાયા હતા.
બીજી તરફ જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ કુલ 44618 દર્દીઓ એક્ટિવ હોવાનો અંદાજ છે. જે પૈકી 225 વેન્ટિલેટર પર છે. જ્યારે 44393 સ્ટેબલ છે. આ ઉપરાંત 1144956 દર્દીઓ અત્યાર સુધીમાં કોરોનાને હરવી ચુક્યાં છે તો અત્યાર સુધીમાં 10667 દર્દીઓ કોરોનાને કારણે મોત નિપજ્યા છે. આજની વાત કરીઅૅ તો આજે કોરોનાને કારણે કુલ 19 નાગરિકોનાં મોત થયા છે.
બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી હોય ત્યારે રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 8 ને પ્રથમ જ્યારે 218 ને બીજો ડોઝ અપાયો છે. તેમજ 45 વર્ષથી વધારેની ઉંમરના 2190 ને પ્રથમ 4201 ને બીજો ડોઝ અપાઇ ગયો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 9588 ને પ્રથમ 15751 ને બીજો ડોઝ પાય ચુક્યો છે. 15-18 વર્ષા નાગરિકો પૈકી 7441 ને પ્રથમ અને 10838 ને બીજો ડોઝ આપવામા આવ્યો હતો તો આ ઉપરાંત 10352 ને પ્રિકોર્શન ડોઝ આપવામા આવ્યો છે.