પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની સાથે ચીનની મુલાકાત લેનારા પ્રતિનિધિમંડળનો ભાગ બનેલા ચૌધરીએ બેઇજિંગથી ઉર્દૂમાં શોક સંદેશ ટ્વિટ કર્યો. તેમણે ટ્વીટમાં લખ્યું છે કે ‘લતા મંગેશકરના નિધનથી સંગીતના એક યુગનો અંત આવ્યો છે.
ભારત રત્ન સુર સામ્રાજ્ઞિ લતા મંગેશકરના નિધન પર માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ શોકની લહેર ફરી વળી છે. આનાથી ખબર પડે છે કે સમગ્ર વિશ્વમાં તેમના લાખો નહીં, કરોડો ચાહકો છે. પાકિસ્તાનના સૂચના મંત્રી પ્રધાન ફવાદ ચૌધરીએ પણ સુપ્રસિદ્ધ ગાયિકા લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું કે તેમણે દાયકાઓ સુધી સંગીતની દુનિયા પર રાજ કર્યું છે અને તેમના અવાજનો જાદુ કાયમ રહેશે.
لتا منگیشکر کا انتقال موسیقی کے ایک عہد کا خاتمہ ہے، لتا جی نے عشروں تک سر کی دنیا پر حکومت کی اور ان کی آواز کا جادو رہتی دنیا تک رہے گا، جہاں جہاں اردو بولی اور سمجھی جاتی ہے وہاں لتا منگیشکر کو الوداع کہنے والوں کا ہجوم ہے، #LataMangeshkar
— Ch Fawad Hussain (@fawadchaudhry) February 6, 2022
લતા મંગેશકરે દાયકાઓ સંગીતની દુનિયામાં અનેરુ રાજ કર્યું છે.
પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની સાથે ચીનની મુલાકાત લેનારા પ્રતિનિધિમંડળનો ભાગ બનેલા ચૌધરીએ બેઇજિંગથી ઉર્દૂમાં શોક સંદેશ ટ્વિટ કર્યો. તેમણે ટ્વીટમાં લખ્યું છે કે ‘લતા મંગેશકરના નિધનથી સંગીતના એક યુગનો અંત આવ્યો છે. લતાએ દાયકાઓ સુધી સંગીતની દુનિયા પર રાજ કર્યું અને તેમના અવાજનો જાદુ કાયમ રહેશે. તેમણે કહ્યું, ‘જ્યાં પણ ઉર્દૂ બોલાય છે અને સમજાય છે, ત્યાં લતા મંગેશકરને અલવિદા કહેનારા લોકોની હુજૂમ છે.