CM ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળને આજે બપોરે શપથ લેવાના હતા. પરંતુ હવે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે નવા મંત્રીમંડળના શપથ ગ્રહણ આવતીકાલે થશે. કારણ કે હાલમાં શપથ લેવાની જગ્યા પરથી પોસ્ટરો હટાવી દેવામાં આવ્યા છે. અને, નવા મંત્રીમંડળની આસપાસ હજુ અનેક વિવાદ છે.
વર્તમાન સંજોગોમાં 7 થી વધુ નવા ચહેરાઓને નવા મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. આ યાદીમાં માત્ર નવા ચહેરાઓનો સમાવેશ થાય છે. અને, ઘણા જૂના જોગીઓના નામ કાપી નાખવામાં આવે તેવી શક્યતા છે. જેથી હાલ પક્ષમાં નારાજગીનો દૌર દેખાઇ રહ્યો છે.
The swearing-in ceremony of the new cabinet of CM Shri @Bhupendrapbjp will take place tomorrow, September 16, 2021 at 1.30 pm at Raj Bhavan, Gandhinagar. pic.twitter.com/86PJIWP1vd
— CMO Gujarat (@CMOGuj) September 15, 2021
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના શપથ ગ્રહણ માટે આજે રાજભવન ખાતે તૈયારીઓ કરવામાં આવી હતી. પરંતુ કેટલાક રાજકીય કારણોસર, શપથ ગ્રહણ હવે આવતીકાલે, ગુરુવારે, 16 સપ્ટેમ્બરના રોજ થવાની સંભાવના છે. સૂત્રોના જણાવ્યા અનુસાર શપથગ્રહણ સમારોહ ગુરુવારે બપોરે 1.30 કલાકે રાજભવન ખાતે યોજાશે. એવુ કહેવાઈ રહ્યુ છે કે, કેટલાક વરિષ્ઠ મંત્રીઓને પડતા મૂકવાની ચર્ચા થઈ રહી છે. તેની સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. અને મોદીએ પરિસ્થિતિને શાંત કરવા માટે સમજાવટનો રસ્તો અપનાવ્યો છે.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળના સભ્યોના શપથગ્રહણ અંગે મૂંઝવણ વચ્ચે રાજભવન ખાતેના પોસ્ટરો દૂર કરવામાં આવ્યા છે. ભાજપના સૂત્રોએ એમ પણ કહ્યું કે શપથગ્રહણ સમારોહ 15 સપ્ટેમ્બરના બદલે 16 સપ્ટેમ્બરે યોજાઈ શકે છે.