ગઈકાલે જ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ તરીકે જગદીશ ઠાકોરના નામની જાહેરાત થઈ હતી રાજકોટ : ગઈકાલે રાષ્ટ્રીય કોંગ્રેસ કમિટી દ્વારા ગુજરાતના નવા અધ્યક્ષ તરીકે જગદીશ ઠાકોર અને વિપક્ષ નેતા તરીકે સુખરામ સિંહ રાઠવા ની નિમણુંક કરવામાં આવી છે. ત્યારબાદ આજે સવારે 11 વાગ્યે પૂર્વ પ્રદેશ અધ્યક્ષ, પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી ખોડલધામમાં મા ખોડલને શીશ ઝુકવશે અને આશીર્વાદ મેળવશે. આ ઉપરાંત તેઓ પાટીદાર અગ્રણી નરેશ પટેલ સાથે મુલાકાત કરશે.
previous post