Savera Gujarat
Other

છેલ્લા ૨૪ કલાકમાં એક લાખ ૭૨ હજાર કેસ નોંધાયા

નવી દિલ્હી,તા.૩
ગઈકાલની તુલનામાં આજે દેશમાં જીવલેણ કોરોનાવાયરસ રોગચાળાના કેસોમાં વધારો થયો છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોના વાયરસના એક લાખ ૭૨ હજાર ૪૩૩ નવા કેસ નોંધાયા છે અને ૧૦૦૮ લોકોના મોત થયા છે. ગઈકાલની સરખામણીમાં આજે કોરોનાના ૬.૮ ટકા વધુ કેસ સામે આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, હવે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને ૧૫ લાખ ૩૩ હજાર ૯૨૧ થઈ ગઈ છે. તે જ સમયે, આ રોગચાળાને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને ૪ લાખ ૯૮ હજાર ૯૮૩ થઈ ગઈ છે. માહિતી અનુસાર, ગઈકાલે બે લાખ ૮૧ હજાર ૧૦૯ લોકો સાજા થયા હતા, ત્યારબાદ અત્યાર સુધીમાં ૩ કરોડ ૯૭ લાખ ૭૦ હજાર ૪૧૪ લોકો ચેપ મુક્ત થઈ ગયા છે. જણાવી દઈએ કે છેલ્લા ૨૪ કલાકમાં કર્ણાટકમાં ૨૦ હજાર ૫૦૫ નવા કેસ સામે આવ્યા છે અને ૪૦ હજાર ૯૦૩ દર્દીઓ સાજા થયા છે. તે જ સમયે, ૮૧ દર્દીઓના મોત થયા હતા. હવે રાજ્યમાં એક્ટિવ કેસોની સંખ્યા એક લાખ ૭૭ હજાર ૨૪૪ છે. બીજી તરફ, તમિલનાડુમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૪ હજાર ૧૩ નવા કેસ નોંધાયા છે અને ૨૪ હજાર ૫૭૬ દર્દીઓ સાજા થયા છે. અહીં ૩૭ દર્દીઓના મોત થયા છે. હવે રાજ્યમાં એક્ટિવ કેસોની સંખ્યા એક લાખ ૭૭ હજાર ૯૯૯ છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ જણાવ્યું છે કે ગઈકાલે ભારતમાં કોરોના વાયરસ માટે ૧૫ લાખ ૬૯ હજાર ૪૪૯ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ ગઈકાલ સુધીમાં કુલ ૭૩ કરોડ ૪૧ લાખ ૯૨ હજાર ૬૧૪ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ, અત્યાર સુધીમાં એન્ટી-કોરોનાવાયરસ રસીના ૧૬૭ કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે ૫૫ લાખ ૧૦ હજાર ૬૯૩ ડોઝ આપવામાં આવ્યા હતા, ત્યારબાદ અત્યાર સુધીમાં રસીના ૧૬૭ કરોડ ૮૭ લાખ ૯૩ હજાર ૧૩૭ ડોઝ આપવામાં આવ્યા છે.

Related posts

મુખ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળ્યા બાદ ભૂપેન્દ્ર પટેલે સૌરાષ્ટ્ર અંગે લીધો આ મોટો નિર્ણય…

saveragujarat

કોવિડ-૧૯ ગયો નથી, લોકોએ સાવચેત રહેવું પડશે ઃ સરકાર

saveragujarat

મહેસાણા દૂધસાગર ડેરીનું બટર ચોરાયું

saveragujarat

Leave a Comment