ચેન્નાઈ દિલ્હી સામે ક્વોલિફાયર -1 મેચમાં જીત મેળવીને નવમી વખત આઈપીએલની ફાઇનલમાં પહોંચી છે અને હવે 15 ઓક્ટોબરે ટ્રોફી માટે મેદાનમાં ઉતરશે. દિલ્હી કેપિટલ્સને હવે બુધવારે બીજો ક્વોલિફાયર ફાઇનલમાં પહોંચવાની વધુ એક તક હશે.
જેમાં તેનો સામનો આજે બેંગ્લોર અથવા કોલકાતા વચ્ચે વિજેતા ટીમનો સામનો કરશે. ધોનીએ દિલ્હી સામેની મેચમાં જે રીતે ધૂમ મચાવી હતી તેની ચારેબાજુ પ્રશંસા થઈ રહી છે. ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ધોનીની ઇનિંગની પ્રશંસા કરી હતી, જ્યારે સેહવાગ અને અન્ય લોકોએ પણ ધોનીના પ્રદર્શનની પ્રશંસા કરતા ટ્વિટ કર્યું હતું. કોહલીએ ધોનીની ઇનિંગ વિશે ટ્વિટ કરીને કહ્યું કે, અને હવે કિંગ પાછો આવ્યો છે.
વિશ્વમાં શ્રેષ્ઠ ફિનિશર. આજની ઇનિંગે મને ફરી ખુરશી પરથી કૂદકો મારવા માટે મજબૂર કરી દીધો છે . ‘જ્યારે સહેવાગે ટ્વિટ કર્યું કે’ ઓમ ફિનિશાય નામ: ‘, ધોનીના ચાહકોએ ટ્વિટર સહિત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટનો વરસાદ વરસાવી દીધો હતો.