મહેસાણાના સાલડી ગામમાં સમ્માન સમારોહ દરમિયાન ભૂપેન્દ્ર પટેલે પોતાની આગવી શૈલીમાં હળવી ટીખળ કરતા અધિકારીઓને ટકોર કરી હતી. સંબોધન દરમિયાન મુખ્યમંત્રીએ કહ્યું કે વિકાસ બરાબર કરજો આ મારી સાસરી છે. આ સાથે મુખ્યમંત્રીએ જણાવ્યું કે જે વ્યક્તિ ધર્મના માર્ગે ચાલે છે જે આગળ સુધી જાય છે. તેને કોઈ મુશ્કેલી નથી આવતી. કરોડપતિ હોય પણ રૂપિયો ન છૂટે તો શું કામનું તેવી વાત પણ તેમણે કરી હતી. તો આ સાથે જ એમપણ જણાવ્યું હતું કે, પાચીયુંય છૂટે નહીં એવા માટે મને થાય કે પૈસા ભેગા કરીને કરશે શું?
ગઈકાલે ભરૂચમાં ઓક્સિજન પ્લાન્ટના લોકોર્પણના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી હતી, જે બાદ સંબોધન વખતે તેમની આગવી છટામાં એક નિવેદન આપ્યું હતું અને નવા મંત્રી મંડળને પ્રજા આવકાર આપે અને ભૂલ થાય તો લાફોમારવાની જગ્યાએ શીખવાડે તેવુ રમુજ કર્યું હતું. સીએમ પટેલના આ નિવેદન બાદ સભામાં હાસ્યની છોળો ઉડી હતી. તેમને વધુમાં કહ્યું હતું કે અમારૂ મંત્રી મંડળ નવું છે, આથી નવા હોય એટલે કામ કરવાનો ઉત્સાહ પણ વધુ હોય, અને કોઈ ભૂલ થાય તો લોકોના લાફા પડે એટલે ઠરી પણ જાય. પણ મને વિશ્વાસ છે કે તમે લાફા મારવાની જગ્યાએ શીખવાડશો, થોડી ભૂલ થાય તો રસ્તો બતાવશો.