Savera Gujarat
તાજા સમાચારભારતરાજકીય

અંતે યોગી સરકાર જુકી, રાહુલ અને પ્રિયંકા ગાંધીને લખીમપુર જવા આપી મંજુરી…

ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે રાહુલ ગાંધી સહિત પાંચ નેતાઓને ઉત્તર પ્રદેશના લખીમપુર ખિરી માં જવાની મંજુરી આપતાં સમગ્ર તનાવ હવે શાંત થાય તેવા સંકેત છે, છેલ્લા બે દિવસથી, કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીના લખીમપુર પહોંચવાના પ્રયાસોને યોગી સરકારે નિષ્ફળ બનાવ્યા હતા, જેણે પ્રિયંકાને સીતાપુર નજીક ‘ધરપકડ’ કરી હતી અને બાદમાં ઔપચારિક રીતે તેની ધરપકડ કરી હતી, પરંતુ આજે તે છૂટી જાય તેવી શક્યતા છે.

પ્રિયંકાએ પોતે જામીન બોન્ડ ભરવાનો ઇનકાર કર્યો હોવા છે, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે ખાસ ફ્લાઇટમાં દિલ્હીથી લખીમપુર જવા રવાના થયા હતા. એક તબક્કે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ તેમના વિમાનને ટેકનોઈ અને લખનૌ એરપોર્ટ પર ઉતરવાની મંજૂરી આપવાનો ઈન્કાર કરી દીધો હતો, પરંતુ બાદમાં કોંગ્રેસ પાર્ટીએ તિવ્ર વિરોધ કરતા તેને મંજૂરી આપવામાં આવી હતી . તેમની સાથે છતીસગઢનાં મુખ્યમંત્રી શ્રી ભૂપેશ બુધેલ અને પંજાબના મુખ્યમંત્રી શ્રી ચરણજીત સિંહ ચન્ની પણ છે, જેઓ પણ લખનૌ આવી રહ્યા છે. આ ત્રણ નેતાઓ ઉપરાંત પ્રિયંકા ગાંધી તથા આમ આદમી પાર્ટીનાં સાંસદ સંજયસિંહને લખીમપુર જવાની છુટ અપાશે તે નિશ્ચિત છે અને તેઓ અહીના અસરગ્રસ્ત ખેડુતોને પણ મળશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, રાહુલ-પ્રિયંકાની મુલાકાત પહેલા સુરક્ષા વધારી દેવામાં આવી છે અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ પણ લખીમપુર પહોંચી ગયા છે. બીજી તરફ, ગત રાતથી કસ્ટડીમાં રહેલા સંજય સિંહને પણ આજે છોડી મુકવામાં આવ્યા છે અને લખીમપુર જવા માટે પણ રવાના થયા છે.

Related posts

રાજકોટમાં ૬૦૦ કરોડનુ ફુલેકું ફેરવનાર આરોપીની ધરપકડ

saveragujarat

કલોલ ઇફકોના નેનો યુરિયા પ્લાન્ટની નિરીક્ષણ મુલાકાત લેતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

saveragujarat

કમલા પસંદ પાન મસાલાની જાહેરાત કર્યા બાદ અમિતાભ બચ્ચન મુકાયા મુશ્કેલીમાં , ચાહકોએ કહ્યું – તમારે આવા કામ કરવાની જરૂર કેમ પડી?

saveragujarat

Leave a Comment