અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસે નાગરિકો માટે 7-10-2021 ના રોજથી નવરાત્રી પર્વ શરૂ થતો હોવાથી. શહેરના જુદા-જુદા વિસ્તારમાં આવેલ માતાજીના મંદિરો જેમ કે ભદ્રકાળી મંદિર- લાલ દરવાજા., મહાકાળી મંદિર-દુધેશ્વર, ચામુંડામંદિર-અસારવા બ્રિજ નીચે, માતાભવાની વાવ અસારવા, પદમાવતિ મંદિર – નરોડા, ખોડિયાર મંદિર-નિકોલ, હરસિદ્ધમાતા મંદીર રખિયાલ, બહુચરાજીમંદિર-ભુલાભાઈ પાર્ક, મેલડીમાતા મંદિર-બહેરામપુરા, વૈષ્ણોદેવી મંદિર-એસ.જી.હાઈવે, ઉમિયામાતા મંદિર-જાસપુર રોડ, આઈમાતા મંદીર-સુઘડ, હિંગળાજ માતા મંદિર, નવરંગપુરા, વગેરેએ એક બનાવ્યું છે. વગેરે ધાર્મિક સ્થળોને આવરી લઈને નવરાત્રી ધાર્મિક પ્રવાસ શરૂ કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે.
આજે યોજાયેલી ટ્રાન્સપોર્ટ કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ફકત 7-10-2021 થી માત્ર નવરાત્રી પુરતું સવારે 8-15 થી બપોરે 4-15 સુધી ચાલશે. પુખ્ત વયના માટે ટિકિટની કિંમત રૂ. 60 અને બાળકો માટે રૂ .30 રાખવામાં આવેલ છે, આ બસ સેવા પ્રવાસીઓ ઇચ્છે તે સ્થળે આપવાની તથા જ્યાંથી તેઓ બેસે છે તે સ્થળે પરત ફરવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે. જો ગ્રુપમાં આ સેવા લેવી હોય તો ઓછામાં ઓછા 40 પ્રવાસીઓનું ભાડું ચૂકવવું પડશે. આ નવરાત્રી ધાર્મિક બસ સેવાનો લાભ મેળવવા માટે, નીચે જણાવેલ ટર્મિનસ પર સંબંધિત અધિકારીનો સંપર્ક એક દિવસ અગાઉથી નીચે દર્શાવેલ ટર્મિનસો પર સવારે 8:00 થી સાંજના 6:00 દરમ્યાન સંબંધિત અધિકારીનો સંપર્ક કરવાનો રહેશે.
1) લાલદરવાજા ટર્મિનસ
2) મણિનગર ટર્મિનસ
3) સાળંગપુર ટર્મિનસ
4) વાડજ ટર્મિનસ