Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારતરાજકીય

મકરસંક્રાંતિના પર્વ નિમિત્તે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કલોલ ખાતે કપિલેશ્વર મહાદેવના દર્શન કરી પૂજા અર્ચના કરી

 

સવેરા ગુજરાત,અમદાવાદ,તા.14

 

કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીએ કલોલનાં બોરીસણામાં આવેલા સ્નેહ ગ્રીન્સ ફ્લેટમાં પતંગ ચગાવ્યા

મકરસંક્રાંતિના પાવનપર્વ નિમિત્તે આજે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી  અમિતભાઈ શાહ કલોલ
ખાતેના પ્રસિદ્ધ કપિલેશ્વર મહાદેવના દર્શન કરવા ગયા હતા. તેમણે કપિલેશ્વર મહાદેવના દર્શન- પૂજા
અર્ચના કરી હતી. ત્યારબાદ તેમણે કલોલના બોરીસણા વિસ્તારમાં આવેલી સ્નેહ ગ્રીન્સ સોસાયટીનાં ધાબે
નાગરિકો સાથે ઉતરાયણની મજા પતંગ ઉડાડીને લીધી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રી એ અહીં નાગરિકો સાથે
ધાબે બેસી બોર અને ચીક્કી ખાધા હતા. આ પ્રસંગે સ્નેહગ્રીન્સ ફ્લેટ્સ અને આસપાસ રહેતા રહીશો દ્વારા
કેન્દ્રીય ગૃહ મંત્રી નું ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીએ ત્યાં ઉપસ્થિત
સર્વે નાગરિકોનું અભિવાદન ઝીલ્યું હતું. નાગરિકો સાથે હાથ મિલાવી તેમણે ઉતરાયણના પર્વની હાર્દિક
શુભકામનાઓ પણ પાઠવી હતી. ગૃહમંત્રીશ્રીએ ધાબા પરથી પણ નાગરિકોનું અભિવાદન ઝીલ્યું હતું.

Related posts

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન શાસ્ત્રીને રાષ્ટ્રપતિ મુર્મૂ-વડાપ્રધાન મોદીએ ભાવભીની શ્રદ્ધાંજલિ આપી

saveragujarat

ગુજરત મા IMI 4.0 પોર્ટલ કરાયુ લોન્ચ, મિશન ઇન્દ્રધનુષ” 4.0 નો થયો પ્રાંરભ.

saveragujarat

કોરોનાની તમામ પરિસ્થિતિઓ સામે લડત આપવા અમદાવાદ જિલ્લો સુસજ્જ-પ્રભારી મંત્રીશ્રી ઋષિકેશ ભાઈ પટેલ

saveragujarat

Leave a Comment