Savera Gujarat
Other

રાજકોટની બેટી નદી ઉપર ડેમ બાંધવાનું વિઘ્ન દૂર

રાજકોટ,તા. 7 : રાજકોટ નજીકના હીરાસર એરપોર્ટ પાસે બેટી નદીના પૂલ નજીક રાજકોટવાસીઓ અને આસપાસના વિસ્તારના લોકો માટે પાણી સંગ્રહ થઇ શકે અને પાણી સમસ્યામાં રાહત થાય તે માટે છેલ્લા કેટલાક સમયથી મીની ડેમ બનાવવાની યોજના હાથ ધરવામાં આવેલ છે. આ ડેમ બનાવવા એક વિઘ્ન પણ હવે દૂર થઇ ગયું છે અને એરપોર્ટ ઓથીરીટીના સત્તાવાળાઓે આ ડેમ બનાવવા માટે મંજુરી (એનઓસી) આપી દીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ નજીક હીરાસર પાસે ઇન્ટરનેશનલ એરપોર્ટ નિર્માણની હજી શરુઆત થઇ ન હતી

તે અગાઉ આ ડેમ બનાવવા માટે રાજકોટનાં ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે સરકારમાં દરખાસ્ત કરી હતી. અને જે તે સમયે આ ડેમના નિર્માણ માટે મંજુરી પણ મળી જવા પામી હતી. દરમિયાન અત્રે ઇન્ટરનેશનલ એરપોર્ટનો પ્રોજેક્ટ શરુ થતા આ ડેમ એરપોર્ટ ઓથોરીટીની અંડરમાં આવી જતો હતો. આથી થોડા સમય માટે આ ડેમ નિર્માણની કામગીરી અટકી જવા પામી હતી. દરમિયાન આ ડેમ નિર્માણ માટે એરપોર્ટ ઓથોરીટી પાસે એનઓસી માંગવામાં આવેલ હતી જે એનઓસી તાજેતરમાં જ એરપોર્ટ ઓથોરીટીએ આપી દીધું છે.આથી હવે આ ડેમ નિર્માણની કામગીરી ટૂંક સમયમાં ઝડપથી હાથ ધરાઈ તેવા નિર્દેશો છે.

દરમિયાન ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે જણાવેલ હતું કે બેટી નદી ઉપર રાજકોટ માટે પાણી સંગ્રહની યોજના આગળ વધી રહી છે. તેઓએ જણાવેલ હતું કે છેલ્લા ઘણા સમયથી રામપરા બેટી નદી ઉપર રાજકોટ માટે પાણી સંગ્રહ થાય તેવો બંધ બાંધવો જોઇએ તેવી સરકારમાં માંગ કરેલ હતી. પરંતુ ત્યાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ આવતા તેની ઓથોરીટીની મંજુરી જરુરી હતી.

જે મંજુરી હાલમાં જ મળી ગઇ છે. આથી હવે સિંચાઈ વિભાગ ઝડપથી કાર્યવાહી કરી રહ્યું છે અને પ્લાન એસ્ટીમેન્ટ બનાવીને સરકારમાંથી મંજુરી મેળવવા તડામાર કામગીરી શરુ કરી દીધી છે. દરમિયાન રાજકોટ સિંચાઈ વિભાગના અધિકારી સુત્રોનો સંપર્ક સાધતા તેઓએ જણાવેલ હતું કે બેટી નદીના પૂલ પાસે 20 એમસીએફટી પાણીના સંગ્રહ થાય તે પ્રકારનો ડેમ અંદાજીત રુા. 2 થી 2.5 કરોડના ખર્ચે તૈયાર થશે. આ ડેમ માટેનું એસ્ટીમેન્ટ અને પ્લાન લગભગ સિંચાઈ વિભાગે તૈયાર કરી લીધા છે અને ટૂંક સમયમાં જ સરકારી મંજુરી માટે ગાંધીનગર મોકલી દેવામાં આવનાર છે.

Related posts

દુનિયાભરમાં ૧૯ કરોડ લોકો ભૂખમરાથી ઝઝૂમી રહ્યા હોવાનો સંયુક્ત રાષ્ટ્રનો રીપોર્ટ ઃ સૌથી વધુ ભૂખમરો દક્ષિણ આફ્રિકન દેશોમાં

saveragujarat

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ માતા હીરાબાના આશીર્વાદ લીધા

saveragujarat

સોમનાથમાં દિવાળી પર્વમાં પ્રવાસીઓનો વધ્યો ધસારો

saveragujarat

Leave a Comment